ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા શોક યાત્રા યોજાશે


SHARE













મોરબીમાં મચ્છુ જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા શોક યાત્રા યોજાશે

મોરબીમાં ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ મચ્છુ જળ હોનારતની ઘટના બની હતી જેમાં ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેથી આ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે દર વર્ષે મૌન રેલી યોજાઇ છે તેવી જ રીતે કાલે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના મચ્છુ જળ હોનારતને ૪૬ વર્ષ થઈ ગયા છે તેમ છતાં પણ આગામી ૧૧ ઓગસ્ટ ના રોજ મોરબીમાં ગોઝારા દિવસની યાદમાં તારાજીના દ્રશ્ય લોકોની નજર સામે આવશે જેથી તેઓની આંખોમાંથી આંસુ સરી પડશે. મોરબી મહાપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મૃતકોની સ્મૃતિ સ્તંભ સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૧ ને સોમવારે મોરબીમાં શોકયાત્રા યોજાશે. આ રેલી મહાપાલિકા કચેરીથી બપોરે ૩:૩૦ કલાકે નીકળશે અને મચ્છુ જળ હોનારતના દિવંગતોના સ્મૃતિ સ્તંભ પાસે પૂર્ણ કરવામાં આવશે. આ રેલીમાં મોરબીના રાજકીય અને સમાજિક આગેવાનો, કલેકટર, કમિશનર સહિતના અધિકારીઓએ જોડાશે.








Latest News