મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા શોક યાત્રા યોજાશે


SHARE







મોરબીમાં મચ્છુ જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા શોક યાત્રા યોજાશે

મોરબીમાં ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ મચ્છુ જળ હોનારતની ઘટના બની હતી જેમાં ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેથી આ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે દર વર્ષે મૌન રેલી યોજાઇ છે તેવી જ રીતે કાલે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના મચ્છુ જળ હોનારતને ૪૬ વર્ષ થઈ ગયા છે તેમ છતાં પણ આગામી ૧૧ ઓગસ્ટ ના રોજ મોરબીમાં ગોઝારા દિવસની યાદમાં તારાજીના દ્રશ્ય લોકોની નજર સામે આવશે જેથી તેઓની આંખોમાંથી આંસુ સરી પડશે. મોરબી મહાપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મૃતકોની સ્મૃતિ સ્તંભ સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૧ ને સોમવારે મોરબીમાં શોકયાત્રા યોજાશે. આ રેલી મહાપાલિકા કચેરીથી બપોરે ૩:૩૦ કલાકે નીકળશે અને મચ્છુ જળ હોનારતના દિવંગતોના સ્મૃતિ સ્તંભ પાસે પૂર્ણ કરવામાં આવશે. આ રેલીમાં મોરબીના રાજકીય અને સમાજિક આગેવાનો, કલેકટર, કમિશનર સહિતના અધિકારીઓએ જોડાશે.






Latest News