ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તરફથી દરેક આયોજકોને પ્રોત્સાહિત કરાયા


SHARE













વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત વાંકાનેર શહેરમાં ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર શહેર તેમજ તાલુકાનાં ગામે ગામથી પોત પોતાનાં વાહન સાથે ગણેશજીની મૂર્તિ લઈ શોભાયાત્રામાં આયોજકો જોડાયા હતાં. જેમાં કુલ 46 ગણપતિ પંડાલ સમિતિએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તે પ્રસંગે શોભાયાત્રામાં ભાગ લેનાર પંડાલોને વાંકાનેર હિન્દુ હૃદય સમ્રાટ અને લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા ગામડે થી આવેલા પંડાલોને રૂપિયા 5100 તેમજ વાંકાનેર શહેરથી જોડાયેલા પંડાલોને રૂપિયા 3500 પ્રોત્સાહિત રકમ આપવામાં આવી હતી. આ શોભાયાત્રા જોડાયેલ પંડાલોની  ધર્મ પ્રત્યેની ભાવનાને જીતુભાઈ સોમાણીએ હ્રદય પૂર્વક બિરદાવી હતી. આ પ્રસંગે વાંકાનેર શહેરનાં રાજ માર્ગો પર દરેક ચોકે ચોકે બાળકો, વૃદ્ધો, મહિલાઓ, યુવાનો સહિત દરેક લોકોએ જીતુભાઈ સોમાણીને ફુલ હાર તેમજ સાલ ઓઢાડીને સન્માનિત કરેલાં હતાં. આ ગણપતિ શોભાયાત્રાનું 15 મુ વર્ષ છે ત્યારે વાંકાનેરમાં  ગણેશ ઉત્સવની શોભાયાત્રામાં વાંકાનેર વિભાગના ડીવાયએસપી સમીર સારડા, વાંકાનેર સીટી પીઆઇ હકુમતસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં શહેરના મુખ્ય માર્ગો ઉપરથી શોભાયાત્રા નીકળી હતી








Latest News