મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તરફથી દરેક આયોજકોને પ્રોત્સાહિત કરાયા


SHARE











વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત વાંકાનેર શહેરમાં ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર શહેર તેમજ તાલુકાનાં ગામે ગામથી પોત પોતાનાં વાહન સાથે ગણેશજીની મૂર્તિ લઈ શોભાયાત્રામાં આયોજકો જોડાયા હતાં. જેમાં કુલ 46 ગણપતિ પંડાલ સમિતિએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તે પ્રસંગે શોભાયાત્રામાં ભાગ લેનાર પંડાલોને વાંકાનેર હિન્દુ હૃદય સમ્રાટ અને લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા ગામડે થી આવેલા પંડાલોને રૂપિયા 5100 તેમજ વાંકાનેર શહેરથી જોડાયેલા પંડાલોને રૂપિયા 3500 પ્રોત્સાહિત રકમ આપવામાં આવી હતી. આ શોભાયાત્રા જોડાયેલ પંડાલોની  ધર્મ પ્રત્યેની ભાવનાને જીતુભાઈ સોમાણીએ હ્રદય પૂર્વક બિરદાવી હતી. આ પ્રસંગે વાંકાનેર શહેરનાં રાજ માર્ગો પર દરેક ચોકે ચોકે બાળકો, વૃદ્ધો, મહિલાઓ, યુવાનો સહિત દરેક લોકોએ જીતુભાઈ સોમાણીને ફુલ હાર તેમજ સાલ ઓઢાડીને સન્માનિત કરેલાં હતાં. આ ગણપતિ શોભાયાત્રાનું 15 મુ વર્ષ છે ત્યારે વાંકાનેરમાં  ગણેશ ઉત્સવની શોભાયાત્રામાં વાંકાનેર વિભાગના ડીવાયએસપી સમીર સારડા, વાંકાનેર સીટી પીઆઇ હકુમતસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં શહેરના મુખ્ય માર્ગો ઉપરથી શોભાયાત્રા નીકળી હતી






Latest News