મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે જિલ્લા પંચાયત કચેરી ખાતે વિદ્યાર્થીઓએ-વાલીઓને માર્ગદર્શન અપાશે


SHARE











મોરબીની જવાહર નવોદય વિદ્યાલમાં પ્રવેશ માટે જિલ્લા પંચાયત કચેરી ખાતે વિદ્યાર્થીઓએ-વાલીઓને માર્ગદર્શન અપાશે

આવતા વર્ષે (૨૦૨૬-૨૭) વિનામૂલ્યે મોરબીની જવાહર નવોદય વિદ્યાલમાં ધોરણ ૯ અને ૧૧ માં ભણવા માંગતા બાળકો તથા તેમના વાલીઓ માટે ૧ સપ્ટેમ્બરે જિલ્લા પંચાયત ખાતે માર્ગદર્શન બેઠક યોજાશે આ શાળામાં વિનામૂલ્યે અને સારી ગુણવત્તાનું શિક્ષણ મેળવવા ઈચ્છુક જરૂરિયાતમંદ બાળકો, વાલીઓ તથા શિક્ષકોને બેઠકમાં ઉપસ્થિત રહેવા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિનો અનુરોધ કર્યો છે.

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પંચાયત અને મોરબી અને મોરબીની પીએમશ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય કોઠારીયા સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લામાં આવેલી સરકારી તથા પ્રાઇવેટ શાળાના આચાર્યઓ તથા જેમના બાળકો ધોરણ ૮ અને ૧૦ માં ભણતા હોય તેવા વાલીઓ માટે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં તા ૧/૦૯/૨૦૨૫ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે રૂમ ન. ૧૧૦, જિલ્લા પંચાયત કચેરી, સો -ઓરડી, શોભેશ્વર રોડ, મોરબી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં જે જરૂરિયાતમંદ બાળકો નવોદય વિદ્યાલયમાં આવતા વર્ષે (૨૦૨૬-૨૭) ઇંગ્લિશ મિડિયમમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ સાયન્સ અને કોમર્સમાં ભણવા માંગતા હોય તેવા બાળકોને વિનામૂલ્યે અને સારી ગુણવત્તાનું શિક્ષણ મળી શકે માટે જિલ્લાની તમામ શાળાના આચાર્ય અથવા તેના પ્રતિનિધિ ઇચ્છુક બાળકોના વાલીઓ તથા ખાસ કરીને બહારથી અલગ-અલગ ફેક્ટરીમાં કામ કરતા  જરૂરિયાતમંદ શ્રમિકો અને કામદારોના બાળકોના વાલીઓને આ માર્ગદર્શન બેઠકમાં ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News