મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો મોરબીના રામધન આશ્રમ ખાતે જ્યોતિશ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢકની હાજરીમાં ગુરુવારે રાતે સત્સંગનું આયોજન યુદ્ધની અસર: મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસાના ભાવમાં વધારો, વેસ્ટ પેપરની આવક બંધ, ઉદ્યોગ ઑક્સીજન ઉપર આવી ગયો મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા
Breaking news
Morbi Today

મોરબી: આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE













મોરબી: આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના લધીરનગર પાસે આવેલ સિરામિક કારખાનાની લેબર કોલોનીના કવાર્ટરમાં રહેતા યુવાને કોઈ કારણોસર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં મોરબીના લધીરનગર (નવાગામ) પાસે આવેલ આજવિટો સિરામિક કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતો સોનુભાઈ થાનસીંહ ભીલાલા (19) નામનો યુવાન તેના લેબર કવાર્ટરમાં હતો ત્યારે કોઈપણ કારણોસર તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મયુરકુમાર નારણભાઈ ભોરણીયા રહે. રવાપર રોડ ઉમિયા ચોક મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ બી.જી.દેત્રીજા ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી મળે માહિતી મુજબ આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભરી લીધેલ છે. તેવી માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના નાનીવાવડી ગામે રહેતા લાલજીભાઈ જગદીશભાઈ નિમાવત (35) નામના યુવાનને લાયન્સ સ્કૂલ નવલખી રોડ પાસે મારામારીના બનાવમાં ઇજા થતાં ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઝેરી જનાવર કરડી ગયું

મોરબીની ત્રાજપર ચોકડી પાસે રહેતા ભારતીબેન ભાવેશભાઈ (17) નામની સગીરાને કોઈ ઝેરી જનાવર કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી પાસે આવેલ લેબેટ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા પૂજાબેન રાકેશભાઈ (25), અનિલભાઈ રામપ્રકાશભાઈ યાદવ (30), મોક્ષા અનિલભાઈ યાદવ (4) અને કામિનીબેન અનિલભાઈ યાદવ (24) નામના ચાર વ્યક્તિઓને યુનિટમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News