મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં જમીન માલિકના ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ આંબો બનાવીને વેચી નાખવાનું કૌભાંડ, બે સામે નામ જોગ ફરિયાદ: એકની ધરપકડ


SHARE













મોરબીમાં જમીન માલિકના ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ આંબો બનાવીને વેચી નાખવાનું કૌભાંડ, બે સામે નામ જોગ ફરિયાદ: એકની ધરપકડ

મોરબીના વજેપર વિસ્તારમાં અગાઉ થયેલા જમીન કૌભાંડમાં જમીનના મૂળ માલિકનો પરિવાર હજુ ન્યાય ઝંખી રહ્યો છે તેવામાં વજેપર વિસ્તારમાંથી વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે જેમાં જમીનના મૂળ માલિકના ખોટા બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઈ આંબો બનાવીને જમીનના ખોટા ખાતેદાર બનીને વેચી નાખવાનું કૌભાંડ કર્યું હતું જે અંગેની સમયસર જમીનના મૂળ માલિકના પરિવારજનોને જાણ થઈ જતા તેના દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પૂર્વઆયોજિત કાવતરું રચીને ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરીને ખરા તરીકે ઉપયોગ કરીને વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરનારાઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જે પૈકી પોલીસે હાલમાં એક આરોપીને પકડીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે વિશાલ ફર્નિચરની પાછળના ભાગમાં આવેલ રાફડાની વાડીમાં રહેતા બાબુભાઈ તળશીભાઇ ચાવડા (40એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમિતભાઈ મોહનભાઈ પરમાર રહે. નવા બસ સ્ટેશન પાછળ રાધા પાર્ક મોરબી તથા દર્શિત પ્રવીણભાઈ મેવાડા રહે. લાયન્સનગર મોરબી અને તપાસમાં જેના નામ ખૂલે તે તમામની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વજેપર સર્વે નંબર 767 પૈકી 2 માં ફરિયાદીની વડીલો પાર્જિત માલિકીની જમીન આવેલ છે.જે જમીનને આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરીને મિલનભાઈ પ્રકાશભાઈ ફુલતરીયાને વેચવા માટેનું કૌભાંડ કર્યું હતું અને ફરિયાદીના પિતાના નામના ખોટા બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઈ આંબો બનાવીને સાહે મિલનભાઈ ફુલતરીયાને ખોટા ખાતેદાર તરીકે ઓળખ આપીને આરોપી અમિતભાઈ પરમારે તળશીભાઈ ભગવાનજીભાઈ ચાવડાનું ખોટું નામ ધારણ કરીને તેનો સંપર્ક કર્યો હતો અને ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઈ આંબો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદી તથા સાહેદની સાથે  વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સો સામે નામ જોગ તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે અને હાલમાં આ જમીન કૌભાંડમાં એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આરોપી અમિતભાઈ મોહનભાઈ પરમાર હાલ રહે.નવા બસ સ્ટેશન પાછળ રાધા પાર્ક-૨ મોરબી મૂળ રહે.પંચેશ્વરી ચોક કપતીયાણા જી.પોરબંદર ની ધરપકડ કરવામાં આવી છે.અને તેના રિમાન્ડ લેવા માટેની પોલીસે તજવીજ હાથ ધરી છે.








Latest News