મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં જમીન માલિકના ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ આંબો બનાવીને વેચી નાખવાનું કૌભાંડ, બે સામે નામ જોગ ફરિયાદ: એકની ધરપકડ


SHARE





મોરબીમાં જમીન માલિકના ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ આંબો બનાવીને વેચી નાખવાનું કૌભાંડ, બે સામે નામ જોગ ફરિયાદ: એકની ધરપકડ

મોરબીના વજેપર વિસ્તારમાં અગાઉ થયેલા જમીન કૌભાંડમાં જમીનના મૂળ માલિકનો પરિવાર હજુ ન્યાય ઝંખી રહ્યો છે તેવામાં વજેપર વિસ્તારમાંથી વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે જેમાં જમીનના મૂળ માલિકના ખોટા બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઈ આંબો બનાવીને જમીનના ખોટા ખાતેદાર બનીને વેચી નાખવાનું કૌભાંડ કર્યું હતું જે અંગેની સમયસર જમીનના મૂળ માલિકના પરિવારજનોને જાણ થઈ જતા તેના દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પૂર્વઆયોજિત કાવતરું રચીને ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરીને ખરા તરીકે ઉપયોગ કરીને વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરનારાઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જે પૈકી પોલીસે હાલમાં એક આરોપીને પકડીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે વિશાલ ફર્નિચરની પાછળના ભાગમાં આવેલ રાફડાની વાડીમાં રહેતા બાબુભાઈ તળશીભાઇ ચાવડા (40એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમિતભાઈ મોહનભાઈ પરમાર રહે. નવા બસ સ્ટેશન પાછળ રાધા પાર્ક મોરબી તથા દર્શિત પ્રવીણભાઈ મેવાડા રહે. લાયન્સનગર મોરબી અને તપાસમાં જેના નામ ખૂલે તે તમામની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વજેપર સર્વે નંબર 767 પૈકી 2 માં ફરિયાદીની વડીલો પાર્જિત માલિકીની જમીન આવેલ છે.જે જમીનને આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરીને મિલનભાઈ પ્રકાશભાઈ ફુલતરીયાને વેચવા માટેનું કૌભાંડ કર્યું હતું અને ફરિયાદીના પિતાના નામના ખોટા બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઈ આંબો બનાવીને સાહે મિલનભાઈ ફુલતરીયાને ખોટા ખાતેદાર તરીકે ઓળખ આપીને આરોપી અમિતભાઈ પરમારે તળશીભાઈ ભગવાનજીભાઈ ચાવડાનું ખોટું નામ ધારણ કરીને તેનો સંપર્ક કર્યો હતો અને ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઈ આંબો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદી તથા સાહેદની સાથે  વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સો સામે નામ જોગ તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે અને હાલમાં આ જમીન કૌભાંડમાં એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આરોપી અમિતભાઈ મોહનભાઈ પરમાર હાલ રહે.નવા બસ સ્ટેશન પાછળ રાધા પાર્ક-૨ મોરબી મૂળ રહે.પંચેશ્વરી ચોક કપતીયાણા જી.પોરબંદર ની ધરપકડ કરવામાં આવી છે.અને તેના રિમાન્ડ લેવા માટેની પોલીસે તજવીજ હાથ ધરી છે.




Latest News