ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા
મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો
SHARE
મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો
મોરબી મહાપાલિકા દ્વારા પી.એમ. સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ (પી.એમ. સ્વનીધી યોજના) અંતર્ગત ડેપ્યુટી કમિશનરશ્રી કુલદીપસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને એક બેંકર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરી વિસ્તારના શહેરી ફેરિયાઓ માટે ૧૫ હજારની વર્કિંગ કેપિટલ લોન બેંક મારફત આપવામાં આવે છે સાથોસાથ ૧૫ હજારની સંપૂર્ણ ભરપાઈ કર્યાબાદ ૨૫ હજારની અને ૫૦ હજારની લોન મળવા પાત્ર થાય છે આ યોજના અંતર્ગત વાર્ષિક 9 % સબસીડી તથા UPI પેમેન્ટ ટ્રાન્જેકશન દ્વારા વાર્ષિક ૧૬૦૦ કેશબેકની પણ જોગવાઈ કરવામાં આવી છે. સાથોસાથ ૨૫ હાજારની ભરપાઈ થયા બાદ બેંક મારફત આ યોજના અંતર્ગત ૩૦ હજારનું ક્રેડિટકાર્ડ પણ શહેરી શેરી ફેરિયાઓ ને આપવામાં આવશે આ તકે ડેપ્યુટી કમિશનર દ્વારા મોરબી શહેરની વિવિધ બેંકો સાથે પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત પેન્ડીંગ અરજીઓનો નિકાલ લાવવા માટે સમિક્ષા કરવામાં આવી હતી જેથી શહેરી વિસ્તારના વધુમાં વધુ શહેરી ફેરિયાઓ આ યોજનાનો લાભ લઇ શકે. વધુ જાણકારી માટે મોરબી મહાપાલિકાની યુ.સી.ડી. શાખાનો સંપર્ક કરવા જણાવ્યુ છે









