મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો


SHARE











મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો

મોરબી મહાપાલિકા દ્વારા પી.એમ. સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ (પી.એમ. સ્વનીધી યોજના) અંતર્ગત ડેપ્યુટી કમિશનરશ્રી કુલદીપસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને એક બેંકર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરી વિસ્તારના શહેરી ફેરિયાઓ માટે ૧૫ હજારની વર્કિંગ કેપિટલ લોન બેંક મારફત આપવામાં આવે છે સાથોસાથ ૧૫ હજારની સંપૂર્ણ ભરપાઈ કર્યાબાદ ૨૫ હજારની અને ૫૦ હજારની લોન મળવા પાત્ર થાય છે આ યોજના અંતર્ગત વાર્ષિક 9 % સબસીડી તથા UPI પેમેન્ટ ટ્રાન્જેકશન દ્વારા વાર્ષિક ૧૬૦૦ કેશબેકની પણ જોગવાઈ કરવામાં આવી છે. સાથોસાથ ૨૫ હાજારની ભરપાઈ થયા બાદ બેંક મારફત આ યોજના અંતર્ગત ૩૦ હજારનું ક્રેડિટકાર્ડ પણ શહેરી શેરી ફેરિયાઓ ને આપવામાં આવશે આ તકે ડેપ્યુટી કમિશનર દ્વારા મોરબી શહેરની વિવિધ બેંકો સાથે પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત પેન્ડીંગ અરજીઓનો નિકાલ લાવવા માટે સમિક્ષા કરવામાં આવી હતી જેથી શહેરી વિસ્તારના વધુમાં વધુ શહેરી ફેરિયાઓ આ યોજનાનો લાભ લઇ શકે. વધુ જાણકારી માટે મોરબી મહાપાલિકાની યુ.સી.ડી. શાખાનો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News