ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના બધા જ સેન્ટરો ઉપર કોરોના વેકસીનનો પૂરતો જથ્થો આપવા માંગ


SHARE













મોરબી જીલ્લાના બધા જ સેન્ટરો ઉપર કોરોના વેકસીનનો પૂરતો જથ્થો આપવા માંગ

મોરબી જીલ્લામાં કોરોના વેકસીન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે જો કે, વેક્સિન સેન્ટરો પર પુરતો વેકસીનનો જથ્થો ફાળવવા આપવામાં આવતો નથી જેથી કરીને વેક્સિન લેવા ગયેલા લોકોને ધક્કા થાય છે માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને પૂરતો જથ્થો આપવાની માંગ કરી છે                                                             

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા જણાવ્યુ છે કે, હાલમાં મોરબી જીલ્લામાં જેટલા પણ વેક્સીન આપવા માટેના સેન્ટરો નક્કી કરવામાં આવેલ છે. તેમાથી મોટા ભાગના સેન્ટરો પર ખુબ જ ઓછી સંખ્યામાં વેક્સીનના ડોઝ ફાળવવામાં આવે છે જેના કારણે લોકોને સવારના વહેલા લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડે છે. પરંતુ તેમ છતાં ઘણા બધા લોકોને વેક્સીન મળતી નથી જો આવું જ ચાલશે તો અને જો કોરોનાની ત્રીજી લહેર ચાલુ થઇ જશે તો અગાઉ બીજી લહેરની જેમ જ ખરાબ પરિસ્થિતિ ઉદભવશે અને લોકોના બીજી લહેર કરતા પણ વધારે મોત થવાની સંભાવના છે.

સરકારી તંત્ર તેમજ ચુટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોતાની પ્રસિધ્ધી માટે ૭૦ સેન્ટર પર વેક્સીનેસન ચાલુ કરેલની જાહેરાત કરવામાં આવેલ હતી પરંતુ હાલમાં ૩૦ થી પણ ઓછા સેન્ટર પર અને તે પણ અપૂરતી રસી મળી રહી છે જેથી કરીને મોરબી જીલ્લામાં જરૂરિયાત મુજબ વધારે વેક્સીનના ડોઝ ફાળવવામાં આવે અને બધા જ સેન્ટર પર રસી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News