ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી : ચોટીલા નજીક બસની ચાલુ મુસાફરીમાં ઓરિસ્સાના યુવાનનું મોત


SHARE













મોરબી : ચોટીલા નજીક બસની ચાલુ મુસાફરીમાં ઓરિસ્સાના યુવાનનું મોત

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોટીલા નજીક ચાલુ બસે એક વ્યક્તિ બેભાન થઇ જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ લવાયો હતો જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભીમાભાઇ જાતુભાઈ બહેસરા (૩૨) રહે.ઓરિસ્સા નામનો યુવાન બસમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે ચાલુ મુસાફરી દરમિયાન ચોટીલા નજીક તે ચાલુ બસમાં બેભાન થઈ ગયો હતો જેથી તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવતા અહીં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને બનાવ અંગે એ ડીવીઝન પોલીસને જાણ કરી હોય પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરી હતી.

યુવાન રાજકોટ ખસેડાયો

મધ્યપ્રદેશના અજમેરમાં આવેલ સરવાડનો રહેવાસી ઇમરાનઅલી અયુબઅલી ખાંટુ નામનો ૨૭ વર્ષીય યુવાન મોરબીના કંડલા બાઇપાસ પાપાજી ફનવર્લ્ડ નજીક હતો ત્યાં તેને ઈલેક્ટ્રીક સોટ લાગતાં મોરબી ખાતે સારવારમાં લવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે. જ્યારે હળવદના ભલગામડાના રહેવાસી કાનજીભાઈ દલુભાઈ રાજપૂત નામના ૫૨ વર્ષીય આધેડે બાઈક લઈને જતા હતા ત્યાં તેમને રસ્તામાં બાઈક આડે કુતરુ ઉતરતા બાઈક સ્લીપ મારી જવાના બનેલા બનાવમાં ઈજા થવાથી કાનજીભાઈને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે રહેતા જગજીવનભાઈ ઈશ્વરભાઈ સરાવાડીયા પટેલ નામનો ૪૩ વર્ષીય યુવાન વાહન લઇને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જવાથી થયેલ અકસ્માત બનાવમાં ઇજા થવાથી તેને સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા કમલેશ બાબુભાઇ ધોળકિયા નામના ૨૭ વર્ષના યુવાનને હળવદની દેવળીયા ચોકડીએ અંબિકા હોટલ પાસે થયેલા મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટેની અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતા

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”






Latest News