મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં આઠ નવી કમિટીઓ બની !?: બોર્ડમાં કોમી એકતાના થતાં દર્શન


SHARE











મોરબી પાલિકામાં આઠ નવી કમિટીઓ બની !?: બોર્ડમાં કોમી એકતાના થતાં દર્શન

 મોરબી નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં આ વખતે નગરપાલિકા અંદર નવી આઠ કમિટીઓની રચના કરવામાં આવી છે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પાલિકાની તમામ બેઠક પર ભાજપના ઉમેદવારો ચૂંટાયા છે ત્યાર બાદ મોટાભાગના ઉમેદવારોએ માલદાર અને મોભાદાર કમિટીના ચેરમેન બનવા માટે થઈને પ્રયત્ન કર્યા હતા જોકે તમામ લોકોને સંતોષ આપી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી આ વખતે નવી આઠ કમિટીઓની રચના મોરબી પાલિકાની અંદર કરવામાં આવી છે જેમાં સમાજ કલ્યાણ કમિટી, મોક્ષધામ કમિટી, અમૃતમ યોજના કમિટિ, મહિલા કમિટી, એનયુએમએલ કમિટી, વાંચનાલય પ્રવૃત્તિ કમિટી, પસંદગી સમિતિ અને એનિમલ બર્ડ કમિટીનો સમાવેશ થાય છે આ નવી સમિતિઓના સમાવેશ સાથે કુલ ૨૫ કમિટીઓની રચના મોરબી નગરપાલિકાની અંદર કરવામાં આવી છે

બોર્ડમાં કોમી એકતાના થતાં દર્શન

મોરબી પાલિકાની સામાન્ય સભાની બેઠકમાં જુદા-જુદા ચૂંટાયેલા સભ્યો દ્વારા તેઓના વિસ્તારની અંદર વિકાસ કામો અને લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા કામો લેવામાં આવ્યા હતા તેને એક જ ઝાટકે મંજુર કરવામાં આવેલ છે ત્યારે આ બોર્ડ બેઠકની અંદર કોમી એકતાના દર્શન થયા હતા મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર-૭ ના ચૂંટાયેલા સભ્ય આસિફભાઇ રહિમભાઈ ઘાંચી દ્વારા રામચોક થી વાઘપરાના નાલા સુધીના રસ્તાને “સ્વામી વિવેકાનંદ” રોડ નામ આપવા માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવેલ છે

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News