ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં આઠ નવી કમિટીઓ બની !?: બોર્ડમાં કોમી એકતાના થતાં દર્શન


SHARE













મોરબી પાલિકામાં આઠ નવી કમિટીઓ બની !?: બોર્ડમાં કોમી એકતાના થતાં દર્શન

 મોરબી નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં આ વખતે નગરપાલિકા અંદર નવી આઠ કમિટીઓની રચના કરવામાં આવી છે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પાલિકાની તમામ બેઠક પર ભાજપના ઉમેદવારો ચૂંટાયા છે ત્યાર બાદ મોટાભાગના ઉમેદવારોએ માલદાર અને મોભાદાર કમિટીના ચેરમેન બનવા માટે થઈને પ્રયત્ન કર્યા હતા જોકે તમામ લોકોને સંતોષ આપી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી આ વખતે નવી આઠ કમિટીઓની રચના મોરબી પાલિકાની અંદર કરવામાં આવી છે જેમાં સમાજ કલ્યાણ કમિટી, મોક્ષધામ કમિટી, અમૃતમ યોજના કમિટિ, મહિલા કમિટી, એનયુએમએલ કમિટી, વાંચનાલય પ્રવૃત્તિ કમિટી, પસંદગી સમિતિ અને એનિમલ બર્ડ કમિટીનો સમાવેશ થાય છે આ નવી સમિતિઓના સમાવેશ સાથે કુલ ૨૫ કમિટીઓની રચના મોરબી નગરપાલિકાની અંદર કરવામાં આવી છે

બોર્ડમાં કોમી એકતાના થતાં દર્શન

મોરબી પાલિકાની સામાન્ય સભાની બેઠકમાં જુદા-જુદા ચૂંટાયેલા સભ્યો દ્વારા તેઓના વિસ્તારની અંદર વિકાસ કામો અને લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા કામો લેવામાં આવ્યા હતા તેને એક જ ઝાટકે મંજુર કરવામાં આવેલ છે ત્યારે આ બોર્ડ બેઠકની અંદર કોમી એકતાના દર્શન થયા હતા મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર-૭ ના ચૂંટાયેલા સભ્ય આસિફભાઇ રહિમભાઈ ઘાંચી દ્વારા રામચોક થી વાઘપરાના નાલા સુધીના રસ્તાને “સ્વામી વિવેકાનંદ” રોડ નામ આપવા માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવેલ છે

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News