ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

પ્રેમિકાના બીજા સાથે લગ્ન થઈ જતાં મોરબીના સિરામિક કારખાનામાં મજૂરે કર્યો આપઘાત


SHARE













પ્રેમિકાના બીજા સાથે લગ્ન થઈ જતાં મોરબીના સિરામિક કારખાનામાં મજૂરે કર્યો આપઘાત

મોરબીના જેતપર રોડ પર આવેલ રંગપર ગામ પાસે સીરામીકની અંદર મજૂરી કામ કરતા અને લેબર કવાર્ટરમાં રહેતા યુવાનની પ્રેમિકાના લગ્ન અન્ય સાથે થઈ જતા તેને લાગી આવ્યું હતું જેથી કરીને યુવાને પોતાના કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે 

 બનાવની જાણવા મળતી વિગત મોરબીના રંગપર ગામ પાસે આવેલી લિવેન્ઝા સિરામિકના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મૂળ બિહારના રહેવાથી આસમકુમાર અરૂણકુમારસિંહ યાદવ (ઉંમર ૧૮) એ પોતાના લેબર કવાર્ટર નંબર -૬૩ ની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અનો યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનની બહેન બેબીદેવીની નણંદ સાથે મૃતક યુવાનને પ્રેમસંબંધ હતો અને તેની પ્રમિકાના ગત તારીખ ૨૪/૬ ના રોજ બીજા વ્યક્તિ સાથે લગ્ન થઈ ગયા હતા જેથી કરીને આસમકુમારને મનોમન લાગી આવ્યું હતું જેથી કરીને તેણે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે હાલમાં આ બનાવની મહેશકુમાર કૃષ્ણકુમારસિંહ યાદવ રહે લિવેન્ઝા સિરામિક વાળાએ પોલીસને જાણ કરી હોય તેના આધારે પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News