મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ રણમલપુર જવાના રસ્તે રેલવે ફાટકે ઓવરબ્રિજ બનાવવા કરી માંગ


SHARE







મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા સીએમને રજૂઆત કરીને હળવદના રણમલપુર અને ટીકર જવાના માર્ગે રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા માટેની માંગ કરી છે કેમ કે, વારંવાર ફાટક બંધ થવાથી લોકોનો સમય બગાડે છે અને વાહન વ્યવહારમા પણ તકલીફો પડે છે

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાએ સીએમને રજૂઆત કરી છે કે, હળવદમાથી વીસથી વધારે ગામોના લોકોને જવાના રસ્તા ઉપર રેલવે ફાટક આવે છે વારંવાર બંધ થવાથી લોકોને હેરાન થવું પડે છે અને સ્મશાન ઘાટ પણ તે દીશામાં આવેલું હોવાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે જેથી વહેલી તકે ઓવરબ્રિજ બનાવવા લોકની માંગ છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, હળવદના રણમલપુર રોડ પર વેગડવાવ, નવા વેગડવાવ, લીલાપુર, બુટવડા, મંગળપુર, માલણીયાદ, રણમલપુર સહિતના ગામો તેમજ ટીકર રોડપર કીડી, અમરાપર, બોરડી , જોગડ, માનગઢ, અજીતગઢ, માયાપુર,ચાડધ્રા, ટીકર, ઘનશ્યામ ગઢ સહિતના ગામો આવેલા છે જેથી કરીને રેલવે ફાટક અવારનવાર બંધ રહેતા અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ, દર્દીઓ, વાહન ચાલકો હેરાન થાય છે ત્યારે લોકોની હેરાનગતિને દૂર કરવા માટે વહેલી તકે ઓવરબ્રિજ બનાવવામાં આવે તે જરૂરી છે






Latest News