ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

હળવદ અને માળીયા (મી)ન અગરીયાઓને પીવાનું શુધ્ધ પાણી આપવા રજૂઆત


SHARE













હળવદ અને માળીયા (મી)ન અગરીયાઓને પીવાનું શુધ્ધ પાણી આપવા રજૂઆત

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓને મીઠું પકવવાની સિઝન દરમ્યાન પાઇપ લાઇન દ્વારા મીઠું પીવાનું પાણી કાયમી ધોરણે મળી રહે તે માટે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા દ્વારા પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના હળવદ અને માળીયા (મી) તાલુકાના નાના રણમાં કેટલીક સહકારી મંડળીઓ અને ૧૦ એકર જમીનોમાં મીઠા કામદારો અને અગરીયાઓ નવેમ્બર માસથી મે માસના સમયગાળામાં મીઠું પકવવાની કામગીરી કરે છે હાલમાં તેઓને રાજય સરકાર ટેન્કરો મારફતે પીવાનું પાણી પુરૂ પાડે છે આ વ્યવસ્થા અપુરતી હોવાનાં કારણે અગરિયાઓ હેરાન થાય છે આ રણ વિસ્તારના લોકોને પાઇપ લાઈન મારફતે પીવાનું મીઠું પાણી કાયમી મળતું રહે તો મીઠું પકવતા અગરિયાઓની પીવાના પાણીની મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમ છે જેથી હળવદ અને માળીયા (મી) તાલુકાના રણ વિસ્તારનાં અગરિયાઓને કાયમી "જળ જીવન મિશન" યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૧-૨૦૨૨ નાં આયોજનમાં સમાવેશ કરવાની ભલામણ કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News