મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

હળવદ અને માળીયા (મી)ન અગરીયાઓને પીવાનું શુધ્ધ પાણી આપવા રજૂઆત


SHARE







હળવદ અને માળીયા (મી)ન અગરીયાઓને પીવાનું શુધ્ધ પાણી આપવા રજૂઆત

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓને મીઠું પકવવાની સિઝન દરમ્યાન પાઇપ લાઇન દ્વારા મીઠું પીવાનું પાણી કાયમી ધોરણે મળી રહે તે માટે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા દ્વારા પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના હળવદ અને માળીયા (મી) તાલુકાના નાના રણમાં કેટલીક સહકારી મંડળીઓ અને ૧૦ એકર જમીનોમાં મીઠા કામદારો અને અગરીયાઓ નવેમ્બર માસથી મે માસના સમયગાળામાં મીઠું પકવવાની કામગીરી કરે છે હાલમાં તેઓને રાજય સરકાર ટેન્કરો મારફતે પીવાનું પાણી પુરૂ પાડે છે આ વ્યવસ્થા અપુરતી હોવાનાં કારણે અગરિયાઓ હેરાન થાય છે આ રણ વિસ્તારના લોકોને પાઇપ લાઈન મારફતે પીવાનું મીઠું પાણી કાયમી મળતું રહે તો મીઠું પકવતા અગરિયાઓની પીવાના પાણીની મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમ છે જેથી હળવદ અને માળીયા (મી) તાલુકાના રણ વિસ્તારનાં અગરિયાઓને કાયમી "જળ જીવન મિશન" યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૧-૨૦૨૨ નાં આયોજનમાં સમાવેશ કરવાની ભલામણ કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News