મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના મોરબી જિલ્લામાં કોઠી પીએચસીને NQAS પ્રમાણપત્ર એનાયત માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે
Breaking news
Morbi Today

હળવદ અને માળીયા (મી)ન અગરીયાઓને પીવાનું શુધ્ધ પાણી આપવા રજૂઆત


SHARE















હળવદ અને માળીયા (મી)ન અગરીયાઓને પીવાનું શુધ્ધ પાણી આપવા રજૂઆત

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓને મીઠું પકવવાની સિઝન દરમ્યાન પાઇપ લાઇન દ્વારા મીઠું પીવાનું પાણી કાયમી ધોરણે મળી રહે તે માટે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા દ્વારા પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના હળવદ અને માળીયા (મી) તાલુકાના નાના રણમાં કેટલીક સહકારી મંડળીઓ અને ૧૦ એકર જમીનોમાં મીઠા કામદારો અને અગરીયાઓ નવેમ્બર માસથી મે માસના સમયગાળામાં મીઠું પકવવાની કામગીરી કરે છે હાલમાં તેઓને રાજય સરકાર ટેન્કરો મારફતે પીવાનું પાણી પુરૂ પાડે છે આ વ્યવસ્થા અપુરતી હોવાનાં કારણે અગરિયાઓ હેરાન થાય છે આ રણ વિસ્તારના લોકોને પાઇપ લાઈન મારફતે પીવાનું મીઠું પાણી કાયમી મળતું રહે તો મીઠું પકવતા અગરિયાઓની પીવાના પાણીની મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમ છે જેથી હળવદ અને માળીયા (મી) તાલુકાના રણ વિસ્તારનાં અગરિયાઓને કાયમી "જળ જીવન મિશન" યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૧-૨૦૨૨ નાં આયોજનમાં સમાવેશ કરવાની ભલામણ કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News