મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીના જુના મકનસર ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૩૮ બોટલ સાથે આધેડની ધરપકડ


SHARE







મોરબીના જુના મકનસર ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૩૮ બોટલ સાથે આધેડની ધરપકડ

મોરબી તાલુકાના જુના મકનસર ગામે રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો છુપાવાયો હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે રેડ કરી હતી ત્યારે દારૂ બિયરની ૩૮ બોટલ સાથે આધેડ ઝડપાતા તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જૂના મરનસર ગામે ચામુંડા માતાજીના મંદિરની પાસે રહેતા જીતેન્દ્ર દલપતભાઈ મકવાણા નામના ૫૩ વર્ષીય આધેડના રહેણાંક મકાનમાં દારૂ-બિયરનો જથ્થો છુપાવાયો હોવાની બાતમી મળી હતી જેને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ ગોઢાણિયાની સૂચનાથી સ્ટાફની માણલોએ વહેલી સવારે મકાનમાં રેડ કરી હતી ત્યારે મકાનમાંથી વિદેશી દારૂની ૧૪ બોટલ કિંમત રૂા.૪૩૫૦ અને બીયરના ૨૪ ટીન કિંમત રૂા.૨૪૦૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી દારૂ-બીયરની ૩૮ બોટલ કિંમત રૂા.૬૭૫૦ ના મુદ્દામાલ સાથે હાલમાં જીતેન્દ્ર દલપત મકવાણા નામના ૫૩ વર્ષીય જુના મકનસર ગામે રહેતા આધેડની દારૂના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે જે અંગેની આગળની તપાસ જે.પી.વસીયાણી ચલાવી રહ્યા છે.

યુવાનનું મોત

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા પરાગભાઈ અરવિંદભાઈ મોદી નામના ૩૪ વર્ષીય યુવાનને છાતીમાં દુખાવો ઉપડતાં મોડીરાત્રીના બેભાન હાલતમાં સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો. જ્યાં મોરબી સિવિલ હોસ્પિટલના તબીબે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કરી મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી હાલમાં તપાસ અધિકારી વી.પી.છાસીયાએ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં યુવાનને ઈજા

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે રહેતા ચરણરાજ જીતેન્દ્રસિંહ ઝાલા દરબાર નામના ૨૩ વર્ષીય યુવાનને તા.૨૭-૬ ના મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા દરિયા કાંટા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં ચરણરાજ ઝાલાને સારવારમાં લઈ જવાયો હતો.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ

 






Latest News