મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

હળવદ અને માળીયા (મી)ન અગરીયાઓને પીવાનું શુધ્ધ પાણી આપવા રજૂઆત


SHARE











હળવદ અને માળીયા (મી)ન અગરીયાઓને પીવાનું શુધ્ધ પાણી આપવા રજૂઆત

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓને મીઠું પકવવાની સિઝન દરમ્યાન પાઇપ લાઇન દ્વારા મીઠું પીવાનું પાણી કાયમી ધોરણે મળી રહે તે માટે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા દ્વારા પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના હળવદ અને માળીયા (મી) તાલુકાના નાના રણમાં કેટલીક સહકારી મંડળીઓ અને ૧૦ એકર જમીનોમાં મીઠા કામદારો અને અગરીયાઓ નવેમ્બર માસથી મે માસના સમયગાળામાં મીઠું પકવવાની કામગીરી કરે છે હાલમાં તેઓને રાજય સરકાર ટેન્કરો મારફતે પીવાનું પાણી પુરૂ પાડે છે આ વ્યવસ્થા અપુરતી હોવાનાં કારણે અગરિયાઓ હેરાન થાય છે આ રણ વિસ્તારના લોકોને પાઇપ લાઈન મારફતે પીવાનું મીઠું પાણી કાયમી મળતું રહે તો મીઠું પકવતા અગરિયાઓની પીવાના પાણીની મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમ છે જેથી હળવદ અને માળીયા (મી) તાલુકાના રણ વિસ્તારનાં અગરિયાઓને કાયમી "જળ જીવન મિશન" યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૧-૨૦૨૨ નાં આયોજનમાં સમાવેશ કરવાની ભલામણ કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News