ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીની મહિલાની ચેટિંગના કેસમાં મહારાષ્ટ્ર પોલીસે કરી ધરપકડ


SHARE













મોરબીની મહિલાની ચેટિંગના કેસમાં મહારાષ્ટ્ર પોલીસે કરી ધરપકડ

મોરબીની રહેવાથી મહિલાની હાલમાં મહારાષ્ટ્ર રાજયના નાંદેડ પોલીસ દ્વારા છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ મહારાષ્ટ્ર રાજ્યના નાંદેડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ જાવેદખાન દ્રારા છેતરપીંડીના ગુનામાં હાલમાં મોરબીના રહેવાસી ધર્મિષ્ઠાબેન જેવીનભાઇ મજેઠીયા (૩૫) રહે.મોરબી સિલ્વર હાઇટ્સ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૭૦૧ ની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ છેતરપિંડીના ગુનામાં હાલમાં કલમ ૪૨૦ સહિતની કલમો હેઠળ મોરબીના ધર્મિષ્ઠાબેન મજેઠીયાની મહારષ્ટ્રના નાંદેડ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના કેરાળા ગામે ગામના પાટિયા પાસે હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈર્શાદ બાબુદિનભાઈ ખાન (૩૨) રહે સોમકા પહારી ભરતપુર રાજસ્થાન વાળાને અકસ્માતે ઇજા પહોંચી હતી. તે પોતાનો ટ્રક લઈને જતો હતો ત્યારે કેરાળા ગામના પાટિયા પાસે વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં તેને ઈજા થતાં ઇર્શાદભાઇ ખાનને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાતા તાલુકા પોલીસ મથકના એલ.એમ.બારૈયાએ બનાવની તપાસ હાથ ધરી છે.જયારે કચ્છના અંજાર તાલુકામાં આવેલ ખારોઈ ગામના વતની જયેશભાઈ વેલાભાઈ રબારી નામના ૨૫ વર્ષના યુવાનને મોરબી નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચતા તેને ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.

મહિલા સારવારમાં

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા રેહાનાબેન સમસુદ્દીનભાઈ મકરાણી નામની ૨૭ વર્ષીય મહિલાએ તેના ઘેર એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી બનાવની જાણ થતાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News