મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક યુનિટમાં કામ દરમ્યાન બોઇલમિલ ઉપરથી પડી જતા ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો 


SHARE













મોરબીના સિરામિક યુનિટમાં કામ દરમ્યાન બોઇલમિલ ઉપરથી પડી જતા ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો 

મોરબીના લાલપર પાસેના સિરામિક યુનિટમાં ઉપરોકત અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં બોઇલ મિલ ઉપર કામ કરતા સમયે ઊંચાઈએથી પડી જવાથી ઘવાયેલા યુવાનને મોરબી બાદ વધુ સારવારમાં રાજકોટ ખસેડાયો છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસેના તત્વમ સિરામિક નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતાં જયસિંહ સેનાની નામનો ૨૨ વર્ષીય મજૂર યુનીટમાં બોઇલમિલ ઉપર કામ કરી રહ્યો બતો તે દરમ્યાન તે બોઇલ મિલ ઉપરથી નીચે પટકાયો હતો જેથી તેને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં પ્રાથમિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ જવાયો હતો. જોકે રાબેતા મુજબ જિલ્લા કક્ષાની મોરબી સિવિલમાં ટ્રોમા સેન્ટરનો અભાવ હોવાને લીધે પાટાપિંડી કરીને રાબેતા મુજબ જયસિંહને રાજકોટ રીફર કરી દેવાયો હોવાનું જાણવા મળેલ છે. તાલુકા પોલીસ મથકના એસ.આર.ચાવડા બનાવની તપાસ ચલાવી રહ્યા છે.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર રહેતી મહિલાએ વધુ પડતા ટીકડીઓ ખાઈ લેતાં તેણાને સારવારમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરાખંડની રહેવાસી અને હાલ મોરબીના વાવડી રોડ મિરાપાર્ક વિસ્તારમાં રહેતી નેહાબેન શનીભાઈ ગૌતમ નામની વીસ વર્ષીય મહિલાએ વધુ પડતી પેરાસીટામોલની ટીકડીઓ ખાઈ લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી નજીકના સિરામિક યુનિટમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કમલાબેન વિજયભાઈ સુનકર નામની ૩૦ વર્ષીય પરપ્રાંતીય મજૂર મહિલાને ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેને મોડી રાત્રીના બારેક વાગ્યે સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવી હતી બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”






Latest News