માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીની કલ્યાણ (વજેપર) પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


SHARE















મોરબીની કલ્યાણ (વજેપર) પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પર્યાવરણનું જતનએ દરેક નાગરિકનું કર્તવ્ય છે. વૃક્ષ થકી જ પર્યાવરણ અને વાતાવરણનું શુદ્ધિકરણ શક્ય છે તેવી જ રીતે શાળા અને શિક્ષક થકી જ આદર્શ નાગરિકનું સર્જન થતું હોય છે ત્યારે નાગરિક અને પર્યાવરણ સંવર્ધનની સવિશેષ જવાબદારી શિક્ષણ વિભાગ પણ વહન કરતું હોય છે. વસુંધરાના વિકાસ અર્થે મોરબીની તાલુકા શાળા નં -૧ સી.આર. સી.ની નવનિર્મિત શાળા શ્રી કલ્યાણ(વજેપર) પ્રાથમિક શાળામાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રકૃતિવંદન કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી.કાવર,બીટ કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલિયા, તા.શા.નં.૧ ના સી.આર.સી.કો.ઓ. અને મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા પણ જોડાયા હતા અને શાળાના મુખ્યશિક્ષિકા બહેન અને સમગ્ર સ્ટાફ પરિવારના શિક્ષિક ભાઈઓ બહેનો દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું






Latest News