મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની કલ્યાણ (વજેપર) પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની કલ્યાણ (વજેપર) પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પર્યાવરણનું જતનએ દરેક નાગરિકનું કર્તવ્ય છે. વૃક્ષ થકી જ પર્યાવરણ અને વાતાવરણનું શુદ્ધિકરણ શક્ય છે તેવી જ રીતે શાળા અને શિક્ષક થકી જ આદર્શ નાગરિકનું સર્જન થતું હોય છે ત્યારે નાગરિક અને પર્યાવરણ સંવર્ધનની સવિશેષ જવાબદારી શિક્ષણ વિભાગ પણ વહન કરતું હોય છે. વસુંધરાના વિકાસ અર્થે મોરબીની તાલુકા શાળા નં -૧ સી.આર. સી.ની નવનિર્મિત શાળા શ્રી કલ્યાણ(વજેપર) પ્રાથમિક શાળામાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રકૃતિવંદન કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી.કાવર,બીટ કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલિયા, તા.શા.નં.૧ ના સી.આર.સી.કો.ઓ. અને મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા પણ જોડાયા હતા અને શાળાના મુખ્યશિક્ષિકા બહેન અને સમગ્ર સ્ટાફ પરિવારના શિક્ષિક ભાઈઓ બહેનો દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું






Latest News