માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી કોર્ટે ચેક રિટર્નન કેસમાં આરોપીને ૭ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા કર્યો આદેશ


SHARE















મોરબી કોર્ટે ચેક રિટર્નકેસમાં આરોપીને ૭ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા કર્યો આદેશ

મોરબીના સરકારી કર્મચારી સાથે મિત્રતા કરીને તેની પાસેથી ધંધા માટે ૫૦ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેની સામે આપેલ ચેક બેન્કમાં નાખવામાં આવતા  ચેક રિટર્ન થયો હતો જેથી કરીને તેની સામે કેસ કરવામાં આવ્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે વકીલની દલીલને ધ્યાને રાખીને આરોપીને ૭ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે


મોરબી રહેતા અને એસ.ટી.માં ફરજ બજાવતા ભરતસિંહ ગુલાબસિંહ જાડેજાને રાજકોટ ડીવીઝનમાં અવાર નવાર આવવાનું થતું હોવાથી ડીવીઝન ઓફીસ બહાર ચાની લારીએ ચા વાળાના સંપર્કમાં હતા અને તેઓના સંબંધી અને રાજકોટ ભોમેશ્વર પાસે રહેતા આરોપી હમીરભાઈ રાણાભાઈ સીયાણીયા સાથે મીત્રતાનો સંબંધ હતો જેથી કરીને તેને ધંધા નાતે રૂપિયા ૫0,000 ની મોરબી આવીને માંગણી કરી હતી અને જરૂર પડતા તાત્કાલીક વ્યવસ્થા પણ કરી આપીશ તેવી બાંહેધરી આપી હતી અને આરોપીએ ફરીયાદીના નામનો ચેક આપેલ હતો જે ચેક બેન્કમાં નાખતા રૂપિયા મળેલ નહી જેથી તેઓના વકીલ હરદેવસિંહ એચ. જાડેજા થકી લીગલ નોટીસ આપેલ હતી તો પણ રૂપિયા આપેલ નહી જેથી સમય મર્યાદામાં કેસ દાખલ કરી કેશ ચાલતા પુરાવાના આધારે તેમજ વકીલની ધારદાર દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને કસુરવાર ગણી રૂપિયા ચુકવવા હુકમ કરેલ છે તેમજ ખર્ચના રૂપિયા ૨,00 તથા તાલુકા લીગલ સર્વિસ ઓથોરીટને રૂપિયા ૨,00 તેમજ દાખલ તારીખથી મુળ રકમ ઉપ૨ ૭ % વ્યાજ સહીતની રકમ ચૂકવવા માટે તેમજ ઉઠતી કોર્ટની સજાનો હુકમ કરેલ છે તેવું ફરીયાદીના વકીલ હરદેવસિંહ જાડેજાએ કહ્યું છે






Latest News