મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખે કોરોનામાં અવસાન પામેલા યુવાનના પરિવારને જન્મદિને લીધે દત્તક


SHARE











મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખે કોરોનામાં અવસાન પામેલા યુવાનના પરિવારને જન્મદિને લીધે દત્તક

મોરબી જિલ્લા ભાજપ માજી પ્રમુખ રાધવજીભાઈ ગડારાએ ઉચ્ચ અભ્યાસ કરતી દીકરીના અભ્યાસ સહીત તમામ ખર્ચ, તેમજ નિરાધાર પરિવારના આજીવન જીવન નિર્વાહના તમામ ખર્ચની જવાબદારી ઉઠાવવા સાથે પરિવાર દત્તક લઈ સમાજને એક ઉત્તમ પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

મોરબી પાટીદાર સમાજના અગ્રણી, પ્રથમ હરોળના ઉધોગપતિ અને સન્માનીય રાજકીય આગેવાન અનેક સામાજીક, સેવાકાર્યો માટે જાણીતા મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ જીવરાજભાઈ ગડારાનો જન્મદિન હતો ત્યારે તેમણે ટંકારાના આર્ય સમાજ ખાતે વિધિવત્ રીતે પુજા અર્ચના કર્યું હતું અને એક નિરાધાર પરિવારને આજીવન દત્તક લઈ સમાજને એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે આ તકે રઘવજીભાઈ ગડારાએ જણાવ્યુ હતું કે, મને ટંકારા આર્યસમાજના એક સેવક દ્વારા ટંકારાના એક સાવ નિરાધાર ખુબ મદદની જરૂર હોય તેવા એક પાટીદાર પરિવાર વિશે જાણ કરવામાં આવી હતી આ પરિવારના ૪૫ વર્ષના યુવાનનું કોરોનાના લીધે મોત નીપજયું હતું અને તેના થકી જ પરિવારનું ગુજરાન ચાલતું હતું જો કે, યુવાનના અકાળે અવસાનથી વૃધ્ધ માતા, પત્ની અને લોક ફાળાથી ફાર્મસીના પ્રથમ વર્ષમાં એડમિશન લેનાર તેજસ્વી દીકરી  કલ્પાંત કરતા હતા અને દીકરીને આગળનો  અભ્યાસ અને પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તે વિકટ પ્રશ્ન આવ્યો હતો ત્યારે દીકરીના ઉચ્ચ અભ્યાસની વાતજ ક્યાં રહી !!

આ વાત સાંભળી રાઘવજીભાઈએ મનોમન આ પરિવારની ઉચ્ચ અભ્યાસ કરતી દીકરીને જ્યાં સુધી અભ્યાસ કરવો હોય ત્યાં સુધી તેના અભ્યાસ સાથેનો અન્ય રહેવા જમવા સહિતનો આર્થિક ખર્ચ તેમજ પરિવારના ગુજરાનનો ખર્ચ ઉપાડવા સાથે આ પરિવાર મારે દત્તક લેવો તેવો વિચાર કર્યો હતો અને મારા આ વિચારને મારા પત્નિ સહીત પરિવારે હોંસે હોંસે વધાવી લીધો હતો અને તેઓના જન્મદિવસે ટંકારાના આર્યસમાજ મંદિરે જ મને પરિવારનો પરિચય કરાવનાર સેવક દ્વારા પૂજન અર્ચનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પૂજના બાદ આ પરિવારને આજીવન માટે દત્તક લીધેલ છે આજે આપણી આજુબાજુ અનેકલોકો સંપૂર્ણ નીઃસહાય જોવા મળતા હોય છે. તો અને બેબસ લાચાર બની અનેક રીતે પીડા અનુભવતા હોય છે તેવા લોકોને આપણાથી બનતી યથા શકતી મદદ કરી એક બીજાનો શકય તેટલો સધિયારો બનવા પ્રયાસ કરવો જોઇએ આપણે જો કોઈના આંશુ  લુંછવા માટે નિમિત્ત બની શકીએ તો એનાથી મોટો કોઈ ધર્મ ના હોઈ શકે!!






Latest News