મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે યુવાન ઉપર છરી અને ધોકા વડે હુમલો કરનારા સાત શખ્સોની ધરપકડ


SHARE











મોરબીના પંચાસર રોડે યુવાન ઉપર છરી અને ધોકા વડે હુમલો કરનારા સાત શખ્સોની ધરપકડ

મોરબીના પંચાસર રોડ ઉપરથી પસાર થતા સવારા યુવાને થોડા દિવસો પહેલા ૮ શ્ખ્સોએ છરી અને ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજાગ્રસ્ત યુવાને સરવાર લીધા બાદ આઠ સામે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી લીધી છે. 

 

શહેરના પંચાસર રોડ ઉપર આવેલ મહાવીરનગરમાં રહેતા જયેશ મોતીભાઈ નકુમ (૨૨)ને થોડા દિવસો પહેલા રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં આઠેક શખ્સોએ ધોકા અને છરી વડે માર માર્યો હતો જેથી ઇજાગ્રસ્તને સારવારમાં લઇ જવાયો હતો. આ બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકે જયેશભાઇએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તુલસી હસમુખ સંખેશરીયાઅભય હસમુખ સંખેશરીયા અને તેમની સાથેના છ અજાણ્યા ઇસમો એમ આઠેક શખ્સોએ એક દિવસ પહેલા તેની અને સાથે રહેલા સાહેદ દિલીપભાઈ સાથે બોલાચાલી તેમજ ઝઘડો થયો હતો જેમાં તે સામેલ હોવાની વાતનો રોષ રાખીને ધોકા અને છરી વડે હુમલોકરીને છાતીમાથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ કરી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં તુલસી હસમુખ સંખેશરીયા (રાજનગર)અભય હસમુખ સંખેશરીયા (રાજનગર), આશિષ હેમંતભાઈ આદ્રોજા (શક્તિ ટાઉનશિપ, રવાપર રોડ), દિપક રામજીભાઇ વરાણીયા (ત્રાજપર ખારી), સંદીપભાઈ બાબુભાઇ પીપળીયા (નવલખી રોડ), કાનજી બાબુભાઈ સોલંકી (પંચાસર રોડ) અને રાજેશ સાવજીભાઇ પીપળીયા (નવલખી રોડ) વાળાની ધરપકડ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News