મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બાયો ડિઝલનો વેપલો બંધ કરવા તંત્રને અલ્ટીમેટમ


SHARE













મોરબી જિલ્લામાં બાયો ડિઝલનો વેપલો બંધ કરવા તંત્રને અલ્ટીમેટમ

મોરબી જીલ્લામાં બાયોડિઝલના ઘણા પંપ ધમધમી રહ્યા છે ત્યારે બાયોડિઝલ બનાવતા કારખાનાના સરનામાં સાથે ભગતસિંહ ક્રાંતિ દળે હાલમાં કલેક્ટર અને એસપીને રજૂઆત કરી છે ત્યારે તંત્ર વાહકો પાગલ લેશે કે કેમ તે પ્રશ્ન છે

મોરબીમાં ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા કલેકટર અને એસપીને રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, જિલ્લામાં બેફામ બાયોડિઝલ બનાવવાનું અને વેચવાનું ચાલુ છે જેમ અનેક આગેવાન અને પોલીસની સંડોવણી હોવાની શક્યતા છે ત્યારે એક બાજુ બાયોડિઝલના વેચાણ પર સરકાર પ્રતિબંધ લગાવેલ છે બીજી બાજુ જીલ્લામાં ખુલ્લેઆમ જિલ્લામાં બાયોડિઝલનું વેચાણ થઈ રહ્યું છે મોરબી જિલ્લામાં આશરે ૧૦૦ થી વધુ બાયોડિઝલના પંપ ચાલુ છે અને આ બાયોડિઝલનું વેચાણ ગેરકાયદે કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં વાંકાનેરથી લઈને માળિયા હાઇવે ઉપર બાયોડિઝલના ગેરકાયદે અનેક પંપ છે. અને આ બાયોડિઝલ મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલ બે ડેલામાં તેમજ વાવડી રોડ અને પંચાસર રોડ વચ્ચે આવેલ ડેલામાં બનાવવામાં આવે છે. ત્યાર બાદ પંપ મારફતે તેનું વેચાણ કરવામાં આવે છે. ત્યારે જો આઠ દિવસમાં બાયોડિઝલનું વેચાણ બંધ કરાવવામાં નહિ આવે તો ભગતસિંહ ક્રાંતિ દળના ૬૦૦ થી વધુ યુવાનો ભગતસિંહના માર્ગે વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 






Latest News