મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બાયો ડિઝલનો વેપલો બંધ કરવા તંત્રને અલ્ટીમેટમ


SHARE







મોરબી જિલ્લામાં બાયો ડિઝલનો વેપલો બંધ કરવા તંત્રને અલ્ટીમેટમ

મોરબી જીલ્લામાં બાયોડિઝલના ઘણા પંપ ધમધમી રહ્યા છે ત્યારે બાયોડિઝલ બનાવતા કારખાનાના સરનામાં સાથે ભગતસિંહ ક્રાંતિ દળે હાલમાં કલેક્ટર અને એસપીને રજૂઆત કરી છે ત્યારે તંત્ર વાહકો પાગલ લેશે કે કેમ તે પ્રશ્ન છે

મોરબીમાં ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા કલેકટર અને એસપીને રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, જિલ્લામાં બેફામ બાયોડિઝલ બનાવવાનું અને વેચવાનું ચાલુ છે જેમ અનેક આગેવાન અને પોલીસની સંડોવણી હોવાની શક્યતા છે ત્યારે એક બાજુ બાયોડિઝલના વેચાણ પર સરકાર પ્રતિબંધ લગાવેલ છે બીજી બાજુ જીલ્લામાં ખુલ્લેઆમ જિલ્લામાં બાયોડિઝલનું વેચાણ થઈ રહ્યું છે મોરબી જિલ્લામાં આશરે ૧૦૦ થી વધુ બાયોડિઝલના પંપ ચાલુ છે અને આ બાયોડિઝલનું વેચાણ ગેરકાયદે કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં વાંકાનેરથી લઈને માળિયા હાઇવે ઉપર બાયોડિઝલના ગેરકાયદે અનેક પંપ છે. અને આ બાયોડિઝલ મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલ બે ડેલામાં તેમજ વાવડી રોડ અને પંચાસર રોડ વચ્ચે આવેલ ડેલામાં બનાવવામાં આવે છે. ત્યાર બાદ પંપ મારફતે તેનું વેચાણ કરવામાં આવે છે. ત્યારે જો આઠ દિવસમાં બાયોડિઝલનું વેચાણ બંધ કરાવવામાં નહિ આવે તો ભગતસિંહ ક્રાંતિ દળના ૬૦૦ થી વધુ યુવાનો ભગતસિંહના માર્ગે વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 






Latest News