માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

હળવદના મયાપુર ગામે ઝેરી દવા પી પરિણીતાએ કર્યો આપઘાત


SHARE















હળવદના મયાપુર ગામે ઝેરી દવા પી પરિણીતાએ કર્યો આપઘાત

હળવદ તાલુકાના મયાપુર ગામે વાડીએ રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતા એમપીના પરિવારની પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર આપવામાં આવી હતી જોકે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર તાલુકાના વાંકાનેરી ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના મયાપુર ગામની સીમમાં નાનજીભાઈ શિવાભાઇ દલવાડીની રહેતા અને ખેતરોમાં મજૂરી કામ કરતા રૂપસિંહભાઇ બામણીયાના પત્ની રોમીલાબેન (૨૪)એ કોઈ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેઓને હોસ્પીટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે તેનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવની તેઓના પતિએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને હાલમાં આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક પરિણીતાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હોવાનું હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News