મોરબીની ખાખરેચી હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકો માટે યોજાશે ગુરૂ ભાવવંદના કાર્યક્રમ
SHARE
મોરબીની ખાખરેચી હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકો માટે યોજાશે ગુરૂ ભાવવંદના કાર્યક્રમ
પહેલી મેના ગુરૂજનોના સન્માન સાથે વીર સૈનિકોનું પણ કરાશે બહુમાન
સાર્વજનિક હાઈસ્કુલ ખાખરેચીના ભૂતપૂર્વ વિદ્યાર્થીગણ દ્વારા આગામી તા.1 મે ને રવિવારના રોજ સાર્વજનિક હાઈસ્કુલ ખાખરેચીના ભૂતપૂર્વ શિક્ષકોપ્રત્યે કુતજ્ઞતા અને ઋણ સ્વીકારની ભાવના વ્યકત કરવા ગુરૂભાવ વંદનાનો ભવ્ય કાર્યક્રમ મોરબી ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ખાખરેચી હાઈસ્કૂલના ભૂતપૂર્વ ગુરૂજનો જી.કે. રાઠોડ, સ્વ. એસ.એ. ગોસ્વામી, બી.જી.વડઘાસીયા, સી.એમ.વડસોલા, બી.કે. હુલાણી, વી.બી.પારજીયા, જે.એમ.ગોહિલ વિગેરેનું ભાવવંદના સહ સન્માન કરી સહ પરિવાર આર્શીવાદ મેળવાશે.
ગુરૂજનોના સન્માન સાથે સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂકેલા તેમજ હાલમાં ફરજ પરના વીર સૈનિકોનું પણ સન્માન કરી તેઓએ કરેલ રાષ્ટ્રસેવા અને પોતાના જીવનના સોનેરી સમયના ત્યાગ બલિદાન અને સમર્પણ ભાવ પ્રત્યે લાગણી વ્યકત કરાશે.કાર્યક્રમમાં હાઈસ્કુલમાં ભણી ગયેલા માણાબા, સુલતાનપુર, ચીખલી, વેણાસર, વેજલપર, કુંભારીયા, રોહીશાળા તેમજ ખાખરેચીના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહપરિવાર સામેલ થશે.કાર્યક્રમના રજિસ્ટ્રેશન તેમજ વિશેષ વિગત માટે મહેશભાઈ પારજીયા મો.નં. 9979752044 અને કાંતિલાલ માનસેતા મો.નં. 9904575474 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.









