મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં કુડીમાં નાહવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીમાં નજીવી વાતમાં યુવાનને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના રંગપર ગામે મહિલાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ, દિયર અને નણંદ સામે ગુનો નોંધાયો મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પર સહિત 83,000 થી વધુ ની કિંમતના મુદ્દામાલની ચોરી હળવદના રાણેકપર ગામે મંદિરમાં જાળી અને એંગલ લગાવવાનું કામ કરતા વૃદ્ધ સહિત કુલ પાંચ વ્યક્તિઓને 2 મહિલા સહિત કુલ 12 વ્યક્તિઓએ ધોકા, પાઇપ અને ધારીયા વડે માર માર્યો સરકારે ખાનગી કંપનીના વીજ પોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિનો અમને કોઈ પત્ર મળ્યો નથી, અમારું આંદોલન ચાલુ છે: મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં નેહુલ અમૃતિયાએ કરી પત્રકાર પરિષદ મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ
Breaking news
Morbi Today

હળવદમાં કાકાએ કરેલી ફરિયાદનો ખાર રાખીને બે શ્ખ્સોએ ભત્રીજા સહિત બે વ્યક્તિને માર માર્યો


SHARE









હળવદમાં કાકાએ કરેલી ફરિયાદનો ખાર રાખીને બે શ્ખ્સોએ ભત્રીજા સહિત બે વ્યક્તિને માર માર્યો

હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાં યુવાનના કાકાએ કરેલી ફરિયાદ બાબતે તેમજ દસ લાખ રૂપિયા આપીને સમાધાન કરવા બે શ્ખ્સોએ કહ્યું હતું ત્યારે યુવાને સમાધાન કરવાની ના પાડતાં બંને શખ્સોએ તેને ગાળો આપીને ધોકા વડે માર માર્યો હતો તેમજ તેની સાથે રહેલા બીજા વ્યક્તિને પણ ગાળો આપીને મારવામાં આવ્યો હતો અને બંનેણે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદની સોનીવાડમાં રહેતા નિકુંજભાઈ રાજેશભાઈ શેઠ જાતે જૈન વાણીયા (૨૬) એ હાલમાં જનક પ્રભુભાઈ રબારી અને જયદીપ રબારી રહે. બંને બસ સ્ટેન્ડ પાછળ હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તે લક્ષ્મી નારાયણ ચોકમાં મંદિર પાસે હતો ત્યારે બંને શખ્સોએ તેના કાકા હિતેશભાઈ હિંમતલાલે તે બંનેની સામે કરેલી ફરિયાદ બાબતે તથા રૂપિયા ૧૦ લાખ આપીને સમાધાન કરવાનું કહ્યું હતું ત્યારે ફરિયાદી યુવાને સમાધાન કરવાની ના પાડતાં આરોપી જનક રબારીએ ગાળો આપીને ધોકા વડે માર માર્યો હતો અને જયદીપએ ફરિયાદી નિકુંજભાઈ તેમજ તેની સાથે રહેલા ભાર્ગવભાઈને ગાળો બોલીને માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા નિકુંજભાઈએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જનક રબારી અને જયદીપ રબારીની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News