મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ ફાળવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને સમક્ષ કરી માંગ
માળીયા(મિ)ના ખાખરેચીમાં પતિ સાથે જમવા ન બેસતા પરિણીતાએ કર્યો આપઘાત
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1649740700.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
માળીયા(મિ)ના ખાખરેચીમાં પતિ સાથે જમવા ન બેસતા પરિણીતાએ કર્યો આપઘાત
માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે પતિ સાથે જમવા ન બેસતા પત્નીને લાગી આવ્યું હતું જેથી કરીને તેને પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા ગૌતમભાઈ ઉર્ફે ગોપાલભાઈ નવઘણભાઈ કોળી (ઉંમર ૨૨) ના પત્ની તેજલબેન ગૌતમભાઈ કોળી (ઉંમર ૨૦) એ પોતાના જ ઘરની અંદર રૂમમાં પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક પરિણીતાના પતિ દરરોજ સાથે બેસીને જમતા હોય તેના પતિની તબિયત ખરાબ હોવાથી તે સાથે જમવા બેઠા ન હતા જેથી તેને ખોટું લાગી જતાં તેણે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)