વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબી રામકથામાં મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના ચાર શહીદ પરિવારોને ૧-૧ લાખની સહાય


SHARE













મોરબી રામકથામાં મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના ચાર શહીદ પરિવારોને ૧-૧ લાખની સહાય

મોરબીના ખોખરા હનુમાન ખાતે આયોજીત રામકથાના ચોથા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે સેવા કાર્યોમાં અગ્રેસર રહેતા અને 'સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન'ના પ્રમુખ અને જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા ગુજરાતના ચાર શહીદ પરિવારોને એક-એક લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી.ખોખરા હરીહર હનુમાનધામ ખાતે ચાલતી રામ કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી, ભાજપના રાષ્ટ્રીય સચિવ કૈલાશ વિજયવર્ગીયના હસ્તે તેમજ ભારતભરના અગ્રગણ્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં અહીંના યુવા આગેવાન અજય લોરીયા દ્વારા ગુજરાતના  શહીદ પરિવારના પરિવારજનોને માન સન્માન સાથે સ્ટેજ પર લાવી સન્માન કરી દરેક શહીદ પરિવારને એક-એક લાખના ચેક અર્પણ કર્યા હતા.આ તકે મુખ્યમંત્રી, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તેમજ સાધુ સનેઓએ અજયભાઈના આ સેવા કાર્યને બિરદાવ્યુ હતુ.






Latest News