મોરબી રામકથામાં મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના ચાર શહીદ પરિવારોને ૧-૧ લાખની સહાય
SHARE
મોરબી રામકથામાં મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના ચાર શહીદ પરિવારોને ૧-૧ લાખની સહાય
મોરબીના ખોખરા હનુમાન ખાતે આયોજીત રામકથાના ચોથા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે સેવા કાર્યોમાં અગ્રેસર રહેતા અને 'સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન'ના પ્રમુખ અને જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા ગુજરાતના ચાર શહીદ પરિવારોને એક-એક લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી.ખોખરા હરીહર હનુમાનધામ ખાતે ચાલતી રામ કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી, ભાજપના રાષ્ટ્રીય સચિવ કૈલાશ વિજયવર્ગીયના હસ્તે તેમજ ભારતભરના અગ્રગણ્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં અહીંના યુવા આગેવાન અજય લોરીયા દ્વારા ગુજરાતના શહીદ પરિવારના પરિવારજનોને માન સન્માન સાથે સ્ટેજ પર લાવી સન્માન કરી દરેક શહીદ પરિવારને એક-એક લાખના ચેક અર્પણ કર્યા હતા.આ તકે મુખ્યમંત્રી, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તેમજ સાધુ સનેઓએ અજયભાઈના આ સેવા કાર્યને બિરદાવ્યુ હતુ.