મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

હળવદમાં દૈનિક કેટલું પાણી જોઈએ અને કેટલું પાણી આવે તેની ચીફ ઓફિસરને જ ખબર નથી !


SHARE













હળવદમાં દૈનિક કેટલું પાણી જોઈએ અને કેટલું પાણી આવે તેની ચીફ ઓફિસરને જ ખબર નથી !

સામાન્ય રીતે કોઈપણ વિસ્તારમાં પાણી વિતરણ કરતી સ્થાનિક સ્વરાજની સંસ્થાના અધિકારીને તેના વિસ્તારમાં કેટલા પાણીની જરૂર છે અને કેટલું પાણી આવે છે તેની ખબર જ હોય છે જો કે, હળવદ પાલિકાના ચીફ ઓફિસરને એ જ ખબર નથી કે કેટલા પાણીની જરૂર છે અને કેટલું પાણી આવે છે તો પછી આમાં વિતરણ વ્યવસ્થાની ગાડી કેવી રીતે પાટે ચડે તે સૌથી મોટો સવાલ છે

હળવદના કેટલાક વોર્ડમાં પાણી નિયમિત રીતે  આપવામાં આવતું નથી જેથી લોકો પાણી માટે હેરાન છે ત્યારે આ મુદે ચીફ ઓફિસરનો સંપર્ક કરતાં તેણે હાસ્યસ્પદ કહી શકાય તેવા જવાબો આપતા કહ્યું હતું કે, હળવદમાં દૈનિક કેટલા પાણીની જરૂરિયાત છે અને કેટલૂ પાણી મળે છે તેની કોઈ આંકડાકીય માહિતી તેઓની પાસે નથી અને તેને એ વાતનો સ્વીકાર કર્યો હતો કે કેટલઈક સોસાયટીઓમાં નિયમિત રીતે પાણીની સ્પ્લાઈ થતી નથી જો કે, તે સોસાયટીમાં પાણીના ટેન્કરો દોડાવવામાં આવે છે પણ બે સોસાયટીના  ૩૦૦ જેટલા મકાનોમાં પાણીના ટેન્કરથી પાણી પૂરું પાડી ન શકાય તે સ્વભાવિક છે જેથી કરીને લોકોને નિયમિત રીતે પાણી મળે તેવી વ્યવસ્થા નગરપાલિકા કોઈપણ ભોગે કરે તે જરૂરી છે








Latest News