મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા
Breaking news
Morbi Today

હળવદમાં દૈનિક કેટલું પાણી જોઈએ અને કેટલું પાણી આવે તેની ચીફ ઓફિસરને જ ખબર નથી !


SHARE









હળવદમાં દૈનિક કેટલું પાણી જોઈએ અને કેટલું પાણી આવે તેની ચીફ ઓફિસરને જ ખબર નથી !

સામાન્ય રીતે કોઈપણ વિસ્તારમાં પાણી વિતરણ કરતી સ્થાનિક સ્વરાજની સંસ્થાના અધિકારીને તેના વિસ્તારમાં કેટલા પાણીની જરૂર છે અને કેટલું પાણી આવે છે તેની ખબર જ હોય છે જો કે, હળવદ પાલિકાના ચીફ ઓફિસરને એ જ ખબર નથી કે કેટલા પાણીની જરૂર છે અને કેટલું પાણી આવે છે તો પછી આમાં વિતરણ વ્યવસ્થાની ગાડી કેવી રીતે પાટે ચડે તે સૌથી મોટો સવાલ છે

હળવદના કેટલાક વોર્ડમાં પાણી નિયમિત રીતે  આપવામાં આવતું નથી જેથી લોકો પાણી માટે હેરાન છે ત્યારે આ મુદે ચીફ ઓફિસરનો સંપર્ક કરતાં તેણે હાસ્યસ્પદ કહી શકાય તેવા જવાબો આપતા કહ્યું હતું કે, હળવદમાં દૈનિક કેટલા પાણીની જરૂરિયાત છે અને કેટલૂ પાણી મળે છે તેની કોઈ આંકડાકીય માહિતી તેઓની પાસે નથી અને તેને એ વાતનો સ્વીકાર કર્યો હતો કે કેટલઈક સોસાયટીઓમાં નિયમિત રીતે પાણીની સ્પ્લાઈ થતી નથી જો કે, તે સોસાયટીમાં પાણીના ટેન્કરો દોડાવવામાં આવે છે પણ બે સોસાયટીના  ૩૦૦ જેટલા મકાનોમાં પાણીના ટેન્કરથી પાણી પૂરું પાડી ન શકાય તે સ્વભાવિક છે જેથી કરીને લોકોને નિયમિત રીતે પાણી મળે તેવી વ્યવસ્થા નગરપાલિકા કોઈપણ ભોગે કરે તે જરૂરી છે






Latest News