કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓથી લોકહિતાર્થની ભાવના સાકાર થઇ રહી છેઃ બ્રિજેશભાઇ મેરજા
મોરબી સીરામીક એસો.ના હૉલ ખાતે ઔધોગિક સલામતીનો સેમિનાર યોજાયો
SHARE









મોરબી સીરામીક એસો.ના હૉલ ખાતે ઔધોગિક સલામતીનો સેમિનાર યોજાયો
મોરબી સીરામીક એસો.ના કારખાનેદારો સાથે ઔધોગિક સલામતી વિષયક સેમિનાર રાજકોટના જોઈન્ટ ડાયરેક્ટર, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય એચ.એસ.પટેલની અધ્યક્ષતામાં યોજેલ હતો જેમાં ઉદ્યોગોમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તથા સુરક્ષિત વાતાવરણમાં શ્રમિકો કામગીરી કરી શકે તે અંગેની સમજૂતી આપવામાં આવેલ હતી આ કારખાનામાં શ્રમયોગીઓની સુરક્ષા અને સલામતીમાં વધારો થાય અને કારખાનાઓમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે કારખાનાઓમાં સલામતી અને સુરક્ષા પ્રત્યે જાગૃતતા વધે આ હેતુથી સલામતી અને સુરક્ષા અંગે તાલીમ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, હરેશભાઇ બોપલીયા, માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા તથા મોરબી ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર જે.એમ.દ્વિવેદી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર યુ.જે.રાવલ, અન્ય અધિકારી પી.એમ.કલસરિયા વગેરે હાજર રહીને પ્રોગ્રામને સફળ બનાવેલ હતો તથા સેફ્ટી ટ્રેનર શૌલેન્દ્રસિંગ દ્રારા સહેલી રીતે કઇ કઇ રીતે શ્રમયોગીના જીવન બચાવી શકાય તે સમજુતી આપી હતી
