મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારો રાજ્ય કારોબારીના હાજર રહ્યા


SHARE

















મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારો રાજ્ય કારોબારીના હાજર રહ્યા

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક ડો. હેડગેવાર ભવન કર્ણાવતી ખાતે સંપન્ન થઈ.અખિલ ભારતીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂરજીઅખિલ ભારતીય માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી મોહનજી પુરોહિત બેઠકમાં વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.

સત્રમાં મહેન્દ્ર કપુરજીએ સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંગે જાણકારી આપતા જણાવ્યું કે આ અંતર્ગત આપણે મુખ્ય પાંચ કાર્યો કરવાના છે. પહેલું કાર્ય વિશ્વવિદ્યાલયોમાં ૧૦૦ જેટલા સેમિનારનું આયોજન સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત "ઇન્ડિયા સે ભારત કી ઓર "વિષય ઉપર થશે.બીજું ૩૦૦૦ થી વધારે કોલેજમાં આ જ વિષય ઉપર વક્તવ્યનું આયોજન થશે.ત્રીજુ પહેલી ઓગસ્ટના રોજ ૧,૫૦,૦૦૦ વિદ્યાલયોમાં એક સાથે ગામમાં બેનરો સાથે રેલી કાઢી ગામની શાળામાં એ સભા કાર્યક્રમમાં રૂપાંતરિત થશે જેમાં દરેક શાળાને ભારત માતાનો ફોટોપેમ્પ્લેટસ્ટીકરો ભેટ આપવામાં આવશે.ગામમાં કોઈ સ્વાતંત્ર સેનાની નો પરિવાર હોય કે શહીદ સૈનિકનો પરિવાર હોય તો તેમને શાલ શ્રીફળ આપી અને સન્માન કરવામાં આવશે.

 

સત્રમાં ભીખાભાઈ દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના તમામ આઠ સંવર્ગની બંધારણ પ્રમાણે નવિન ટીમની ઘોષણા રાજ્યના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી.સમાપન સત્રમાં મહેન્દ્ર કપૂરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આપણે સૌ ભારતના ભવિષ્યના ઘડતરનું કામ કરીએ છીએ તો વિદ્યાલયના બાળકોમાં રાષ્ટ્રીય ભાવના અને ભારતીય સંસ્કૃતિના જ્ઞાનનું સિંચન કરી અને અને ભારત માતાને પરમ વૈભવ સુધી લઈ જવામાં  સંગઠનના કાર્યકર્તાએ પોતાનું અમૂલ્ય યોગદાન આપવાનું છે સમગ્ર બેઠકનું સંચાલન પ્રાંત મહામંત્રી મિતેશભાઈ ભટ્ટ દ્વારા થયું હતું અંતમાં કચ્છના સરકારી માધ્યમિક સંવર્ગના પ્રાન્ત અધ્યક્ષ મુરજીભાઈ ગઢવી દ્વારા કલ્યાણ મંત્ર બોલાવી બેઠકની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ બેઠકમાં મોરબી જિલ્લામાંથી મંત્રી કિરણભાઈ કાચરોલાસૌરાષ્ટ્ર સંભાગ સહ સંગઠનમંત્રી અને જિલ્લા સંગઠનમંત્રી હિતેશભાઈ ગોપાણીઉપાધ્યક્ષ કિરીટભાઈ દેકવાડિયા અને હરદેવભાઈ કાનગડ તેમજ જિલ્લા પ્રચારમંત્રી હિતેશભાઈ પાંચોટીયા અને હળવદ તાલુકામાંથી કરસનભાઈ ડોડીયા અને વાસુદેવભાઈ ભોરણીયા ઉપસ્થિત રહ્યા હતા.




Latest News