મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

જૂનાગઢના ચાપરડા ખાતે સંસ્કૃત ભારતી દ્વારા યોજનારા કાર્યક્રમમાં મોરબીથી ૪૦ લોકો જોડાશ


SHARE







જૂનાગઢના ચાપરડા ખાતે સંસ્કૃત ભારતી દ્વારા યોજનારા કાર્યક્રમમાં મોરબીથી ૪૦ લોકો જોડાશ

સંસ્કૃત ભારતી દ્વારા જૂનાગઢના ચાપરડા ખાતે આગામી તા.૯ અને ૧૦ ના રોજ સૌરાષ્ટ્ર પ્રાંતનું પ્રથમ અધિવેશન રાખવામા આવ્યું છે જેમાં મોરબીથી પણ હોદેદારો જવાના છે

આગામી તા.૯ અને ૧૦ જુલાઈના રોજ જૂનાગઢ પાસે આવેલ બ્રહ્માનંદ વિદ્યાલય- ચાપરડા ખાતે સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતનું પ્રથમ અધિવેશન મળવા જઈ રહ્યું છે. આ અધિવેશનમાં મોરબી જનપદ તરફથી ૨૪ ભાઈઓ, ૧૬ બહેનો કુલ ૪૦ કાર્યકરો ભાગ લેશે અને ચાપરડાની બ્રહ્માનંદ વિદ્યાલય ખાતે મળનારા સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રથમ અધિવેશનમાં સૌરાષ્ટ્રભરના કાર્યકરો ભાગ લેવા માટે આવશે ત્યારે મોરબી જનપદ તરફથી પણ શિક્ષકો, ડોક્ટર્સ ,સીરામીક વ્યવસાય સાથે જોડાયેલ, વકીલ, વિદ્યાર્થી, ગૃહિણીઓ એમ વિવિધ ક્ષેત્ર તેમજ ટંકારા, વાંકાનેર, મોરબી  સ્થાનમાંથી કાર્યકરો ભાગ લેશે. આ અંગેની માહિતી સંસ્કૃત ભારતી મોરબી જનપદ સંયોજક કિશોરભાઈ શુક્લ અને સહસંયોજક મયુરભાઈ શુક્લ દ્વારા આપવામાં આવી છે.






Latest News