મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

જૂનાગઢના ચાપરડા ખાતે સંસ્કૃત ભારતી દ્વારા યોજનારા કાર્યક્રમમાં મોરબીથી ૪૦ લોકો જોડાશ


SHARE

















જૂનાગઢના ચાપરડા ખાતે સંસ્કૃત ભારતી દ્વારા યોજનારા કાર્યક્રમમાં મોરબીથી ૪૦ લોકો જોડાશ

સંસ્કૃત ભારતી દ્વારા જૂનાગઢના ચાપરડા ખાતે આગામી તા.૯ અને ૧૦ ના રોજ સૌરાષ્ટ્ર પ્રાંતનું પ્રથમ અધિવેશન રાખવામા આવ્યું છે જેમાં મોરબીથી પણ હોદેદારો જવાના છે

આગામી તા.૯ અને ૧૦ જુલાઈના રોજ જૂનાગઢ પાસે આવેલ બ્રહ્માનંદ વિદ્યાલય- ચાપરડા ખાતે સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતનું પ્રથમ અધિવેશન મળવા જઈ રહ્યું છે. આ અધિવેશનમાં મોરબી જનપદ તરફથી ૨૪ ભાઈઓ, ૧૬ બહેનો કુલ ૪૦ કાર્યકરો ભાગ લેશે અને ચાપરડાની બ્રહ્માનંદ વિદ્યાલય ખાતે મળનારા સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રથમ અધિવેશનમાં સૌરાષ્ટ્રભરના કાર્યકરો ભાગ લેવા માટે આવશે ત્યારે મોરબી જનપદ તરફથી પણ શિક્ષકો, ડોક્ટર્સ ,સીરામીક વ્યવસાય સાથે જોડાયેલ, વકીલ, વિદ્યાર્થી, ગૃહિણીઓ એમ વિવિધ ક્ષેત્ર તેમજ ટંકારા, વાંકાનેર, મોરબી  સ્થાનમાંથી કાર્યકરો ભાગ લેશે. આ અંગેની માહિતી સંસ્કૃત ભારતી મોરબી જનપદ સંયોજક કિશોરભાઈ શુક્લ અને સહસંયોજક મયુરભાઈ શુક્લ દ્વારા આપવામાં આવી છે.




Latest News