મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીનાં કેરાળા(હ) ગામના યુવાને સાત વ્યાજખોરોની સામે નોંધાવી ફરિયાદ


SHARE











મોરબીનાં કેરાળા(હ) ગામના યુવાને સાત વ્યાજખોરોની સામે નોંધાવી ફરિયાદ

મોરબી તાલુકાનાં કેરાળા (હરીપર) ગામે રહેતા યુવાને વ્યાજે નાણાં લીધા હતા અને બાદમાં વ્યાજ અને મુદલ ચૂકવવા માટે તેને સમયાંતરે વ્યાજ ખોરના ત્રાસથી બચવા માટે જુદાજુદા વ્યક્તિઓ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા અને હાલમાં સાત શખ્સો દ્વારા તેની પાસેથી વ્યાજના નાણાની પઠાણી ઉઘરાણી કરતાં હતા જેથી કરીને તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં કેરાળા (હરીપર) ગામે રહેતા અરવિંદભાઇ પ્રેમજીભાઇ ચારોલા જાતે પટેલ (ઉ.૩૯) એ હાલમાં મહેન્દ્રસિંહ દેવુભા ઝાલા, રાજેશભાઇ આણંદભાઇ જીલરીયા રહે.બન્ને શનાળા, નરસંગભાઇ જેસંગભાઇ રાઠોડ, હર્ષદભાઇ પરબતભાઇ ચાવડા, સાગર ઉર્ફે મુળુ આયદાન ડાંગર, ભાવેશભાઇ બાવાજી રહે. મોરબી અને સુમીત મુળજીભાઇ ચારોલા રહે.કેરાળા(હરીપર) વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેમહેન્દ્રસિંહ દેવુભા ઝાલા અને રાજેશભાઇ આણંદભાઇ જીલરીયા પાસેથી તેને ૬ ટકા લેખે ૧૨,૦૦,૦૦૦ લીધા હતા અને તેનું આઠ મહીનામાં રૂપીયા ૮ લાખ વ્યાજ સહીત કુલ ૨૦,૦૦,૦૦૦ રૂપીયા ચુકવવા માટે નરસંગભાઇ જેસંગભાઇ રાઠોડ પાસેથી ૧૨,૦૦,૦૦૦ રૂપિયા ૮ લાખ વ્યાજ સહીત ૨૦,૦૦,૦૦૦ લીધા હતા બાદમાં હર્ષદભાઇ પરબતભાઇ ચાવડાએ ૩૫.૦૦,૦૦૦ મહીનાના ૩.૫ ટકા વ્યાજે આપેલ હતા અને તેની ૧૨ વિઘા જમીનનો દસ્તાવેજ કરાવાયો હતો તો સાગર ઉર્ફે મુળુ આયદાન ડાંગરે ,૦૦,૦૦૦ રૂપિયા ૫ ટકા વ્યાજે પેટે આપી વ્યાજ પેટે ૪૫,૦૦૦ લઇ વ્યાજ સહીત ૧૫ લાખ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી હતી તો ભાવેશભાઇ બાવાજીએ ૧,૦૦,૦૦૦ રૂપિયા રોજના ૧૦૦૦ લેખે વ્યાજે આપી ૨૦,૦૦૦ વ્યાજ લઇ રૂપીયા ૪.૫ લાખની પઠાણી ઉઘરાણી કરી હતી અને સુમીત મુળજીભાઇ ચારોલાએ સાહેદ કલ્પેશભાઇ બારોટને ર,૦૦,૦૦૦ રૂપિયા મહીનાના ૩.૫ ટકા વ્યાજે આપી મહીનાનું ૭,૦૦૦ વ્યાજ લઇ તે રૂપીયા વ્યાજ સહીત ફરીયાદી પાસે માગણી કરી પઠાણી ઉઘરાણી કરી હતી જેથી યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવાતા પોલીસે ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબત અધિમીયમ ર૦૧૧ ની કલમ ૫૩૩(૩)૪૦૪૨ મુજબ ગુનો નોંધીને આ ગુનાની તપાસ મોરબી તાલુકા પીએસઆઈ વી.જી.જેઠવા ચલાવી રહ્યા છે.






Latest News