મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના કેનાલ રોડ ઉપરનો ભયજનક ખાડો દિવાળી પહેલા બુરી દેવાશે : વેપારીઓ


SHARE













મોરબીના કેનાલ રોડ ઉપરનો ભયજનક ખાડો દિવાળી પહેલા બુરી દેવાશે : વેપારીઓ

મોરબીના કેનાલ રોડ રામકો બંગલો પાસે ગત શુક્રવારનો સ્વિમિંગ પુલ બને એવડો મોટો ખાડો ખોદયો છે.પાણીની પાઇપ લાઈન તૂટી ગયેલ જેના માટે પાણીની લાઈન પણ રીપેર થઈ ગયી છે પણ આ ખાડો ક્યારે બુરાશે એ નક્કી નથી..! આજે મંગળવાર થયો એટલે કે કામ થઇ ગયાને પણ ચાર દિવસ થયા છતા ખાડો બુરાયો નથી..! ત્યાં શોપિંગ સેન્ટર આવેલ છે જેની દુકાનની સામે જ આ મોટો ખાડો કર્યો છે દુકાનવાળાઓને ત્યાં કસ્ટમર આવી ન શકે તેવી હાલત છે. વળી પાછુ રાતે આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ પણ પાલીકાની દયાથી બંધ છે અને સતત વાહનથી ધમધમતા એવા આ કેનાલ રોડ ઊપર રાત્રીના કોઈ પશુ કે માણસ પડી જાઇ તેવો ભય રહેતો હોય ત્યાંના વેપારીઓ દ્રારા કામ પુરૂ થઇ ગયુ હોય તો હવે આ ખાડો દિવાળી પહેલા બુરી દેવામાં આવે તેવી માંગ કરાઇ છે.

અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા મોરબીના નવા બસ સ્ટેશનથી રવાપર રોડ જવાનો રસ્તે પણ આ રીતે ભયજનક ખુલ્લી ગટર હતી જે અંગે જાગૃત નાગરિક અને એડવોકેટ રાજપરાએ સોશ્યલ મિડીયામાં ફોટા-વિડીયો વાઈરલ કર્યા બાદમાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને કામગીરી કરી હતી એટલે કે કોઈ પણ કામ માટે જ્યારે ફરિયાદ થાય ત્યારે જ કામ કરવું તેવા પાલિકાએ શું સમ ખાધા છે..? કારણ કે જો આ ખાડો છેલ્લા ઘણા સમયથી ખુલ્લો હોય અને કામ પતી ગયું હોવાનું ત્યાંના વેપારીઓ જણાવી રહ્યા છે તે રીતે કામ પતી ગયા બાદ આ ખાડાને કયારે બુરવામાં આવશે..? કારણ કે આ ખાડાને લીધે ત્યાંના વેપારીઓના ધંધા રોજગારને અસર પડે છે તેમજ કોઈ પશુ કે કોઇ વાહનચાલક તેમાં વાહન સહિત તેમા પડી શકે એવડો મોટો ખાડો હોય દિવાળી પહેલા આ ખાડાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી ત્યાંના વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.






Latest News