વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

મોરબીના કેનાલ રોડ ઉપરનો ભયજનક ખાડો દિવાળી પહેલા બુરી દેવાશે : વેપારીઓ


SHARE







મોરબીના કેનાલ રોડ ઉપરનો ભયજનક ખાડો દિવાળી પહેલા બુરી દેવાશે : વેપારીઓ

મોરબીના કેનાલ રોડ રામકો બંગલો પાસે ગત શુક્રવારનો સ્વિમિંગ પુલ બને એવડો મોટો ખાડો ખોદયો છે.પાણીની પાઇપ લાઈન તૂટી ગયેલ જેના માટે પાણીની લાઈન પણ રીપેર થઈ ગયી છે પણ આ ખાડો ક્યારે બુરાશે એ નક્કી નથી..! આજે મંગળવાર થયો એટલે કે કામ થઇ ગયાને પણ ચાર દિવસ થયા છતા ખાડો બુરાયો નથી..! ત્યાં શોપિંગ સેન્ટર આવેલ છે જેની દુકાનની સામે જ આ મોટો ખાડો કર્યો છે દુકાનવાળાઓને ત્યાં કસ્ટમર આવી ન શકે તેવી હાલત છે. વળી પાછુ રાતે આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ પણ પાલીકાની દયાથી બંધ છે અને સતત વાહનથી ધમધમતા એવા આ કેનાલ રોડ ઊપર રાત્રીના કોઈ પશુ કે માણસ પડી જાઇ તેવો ભય રહેતો હોય ત્યાંના વેપારીઓ દ્રારા કામ પુરૂ થઇ ગયુ હોય તો હવે આ ખાડો દિવાળી પહેલા બુરી દેવામાં આવે તેવી માંગ કરાઇ છે.

અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા મોરબીના નવા બસ સ્ટેશનથી રવાપર રોડ જવાનો રસ્તે પણ આ રીતે ભયજનક ખુલ્લી ગટર હતી જે અંગે જાગૃત નાગરિક અને એડવોકેટ રાજપરાએ સોશ્યલ મિડીયામાં ફોટા-વિડીયો વાઈરલ કર્યા બાદમાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને કામગીરી કરી હતી એટલે કે કોઈ પણ કામ માટે જ્યારે ફરિયાદ થાય ત્યારે જ કામ કરવું તેવા પાલિકાએ શું સમ ખાધા છે..? કારણ કે જો આ ખાડો છેલ્લા ઘણા સમયથી ખુલ્લો હોય અને કામ પતી ગયું હોવાનું ત્યાંના વેપારીઓ જણાવી રહ્યા છે તે રીતે કામ પતી ગયા બાદ આ ખાડાને કયારે બુરવામાં આવશે..? કારણ કે આ ખાડાને લીધે ત્યાંના વેપારીઓના ધંધા રોજગારને અસર પડે છે તેમજ કોઈ પશુ કે કોઇ વાહનચાલક તેમાં વાહન સહિત તેમા પડી શકે એવડો મોટો ખાડો હોય દિવાળી પહેલા આ ખાડાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી ત્યાંના વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.






Latest News