મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં રિક્ષાના રાતે ફેરા કરતાં બે યુવાન ઉપર ત્રણ શખ્સોનો ટામી-ધોકા વડે હુમલો


SHARE







હળવદમાં રિક્ષાના રાતે ફેરા કરતાં બે યુવાન ઉપર ત્રણ શખ્સોનો ટામી-ધોકા વડે હુમલો

હળવદમાં રાજોધરજી સ્કૂલની સામેના ભાગમાં મેલડી માતાજીના મંદિર સામે યુવાન સહિત બે વ્યક્તિ રાત્રિના સમયે રીક્ષાના ફેરા કરતા હતા જે બાબતે સારું નહીં લાગતા ત્રણ શખ્સો દ્વારા તેઓને ગાળો આપવામાં આવી હતી તેમજ લાફા મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ લોખંડની ટામી અને ધોકા વડે બંનેને માર મારતા બે યુવાનોને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં એક યુવાને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતો નરેશભાઈ ચંદુભાઈ વિંધાણી જાતે કોળી (૨૨) નામના યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આનંદભાઈ ઘનશ્યામભાઈ મકવાણા, અશોકભાઈ ઘનશ્યામભાઈ મકવાણા અને ઘનશ્યામભાઈ મકવાણા રહે. ત્રણેય ભવાનીનગર ઢોરો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી અને વિષ્ણુભાઈ રાત્રિના સમયે રિક્ષાના ફેરા કરતા હતા તે બાબતે આરોપીઓને સારું નહીં લાગતા આરોપીઓએ ફરિયાદી અને વિષ્ણુભાઈને ગાળો આપી હતી તેમજ બંનેને લાફા માર્યા હતા અને ત્યારબાદ આનંદભાઈએ લોખંડની ટામી લઈને તથા ઘનશ્યામભાઈ લાકડાનો ધોકો લઈને ફરિયાદી તથા સાહેદને મારવા માટે આવેલ હતા અને ત્યારે ફરિયાદ સહિત બંને ભગવા જતાં ફરિયાદીને પગ ઉપર ટામી મારીને ફરિયાદીને નીચે પાડી દીધો હતો ત્યારબાદ તેને લોખંડની ટામી વડે અને લાકડાના ધોકા વડે માર મારીને ડાબા પગના ઢીંચણ, સાથળ અને જમણા પગે ઢીંચણના ભાગે માર મારીને ઇજા કરેલ છે આમ રીક્ષાના ફેરા કરવા બાબતે બે વ્યક્તિઓને માર મારવાના બનાવમાં સારવાર લીધા બાદ નરેશભાઈ વિંધાણીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

યુવાન સારવારમાં

મૂળ એમપીના ઈન્દોરનો રહેવાસી રોહિત સજનસિંહ (૩૨) નામનો યુવાન મોરબીમાં જુના બસ સ્ટેશનમાં બસમાં ચડતા સમયે કોઈ કારણોસર પડી ગયો હતો જેથી તેને શરીરે ઇજાઓ થઇ હતી માટે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવેલ છે






Latest News