મોરબીમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી
મોરબી : સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમવાર નટરાજ એવોર્ડ મેળવતા રાજેશભાઇ વ્યાસનું મોરારી બાપુના હસ્તે થશે સન્માન
SHARE






મોરબી : સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમવાર નટરાજ એવોર્ડ મેળવતા રાજેશભાઇ વ્યાસનું મોરારી બાપુના હસ્તે થશે સન્માન
મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમ વખત કોઈને નટરાજ એવોર્ડ મળી ગયો છે અને જાણીતા રામકથાકાર પૂજ્ય મોરારીબાપુના હસ્તે આ સન્માન તેઓને મળવાનું છે.ત્યારે ટંકારાના ધ્રુવનગર ગામના રાજેશભાઈ વ્યાસે આ બહુમાન મેળવીને સમગ્ર વ્યાસ જ્ઞાતિનું જ્ઞાન નામ રોશન કરેલ છે.
મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમવાર નટરાજ એવોર્ડ મેળવી મોરબી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનું ગૌરવ વધારતા રાજેશભાઇ વ્યાસ કે જેઓનું મુળ ગામ ધ્રુવનગર છે અને હાલ તેઓ મોરબીના રહીશ છે.રાજેશભાઇ કુકરવાડીયાને હનુમાન જયંતિના દિવસે ચિત્રકૂટ ધામ તલગાજરડા મુકામે પૂજ્ય મોરારિબાપુના સાનિધ્યમાં નટરાજ એવોર્ડ ભારત દેશના મહાનુભાવોની ઉપસ્થિતીમા અર્પણ કરવામા આવશે.જે ગૌરવપૂર્ણ એવોર્ડ માટે સમગ્ર જ્ઞાતિ બંધુઓ હર્ષની લાગણી અનુભવે છે.મોરબી મચ્છુકાંઠા લોક ભવાઇ કલાના ઇતિહાસ માં સૌ પ્રથમ આ એવોર્ડ રાજેશભાઇને મળતા પરિવારજનો, ગ્રામજનો, જ્ઞાતિ બંધુઓ, અને ભવાઇ ચાહકોમા હર્ષની લાગણી હોય ચોમેરથી અભિનંદન વર્ષા વરસી રહી છે.


