પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર
Breaking news
Morbi Today

મોરબી : સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમવાર નટરાજ એવોર્ડ મેળવતા રાજેશભાઇ વ્યાસનું મોરારી બાપુના હસ્તે થશે સન્માન


SHARE







મોરબી : સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમવાર નટરાજ એવોર્ડ મેળવતા રાજેશભાઇ વ્યાસનું મોરારી બાપુના હસ્તે થશે સન્માન

મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમ વખત કોઈને નટરાજ એવોર્ડ મળી ગયો છે અને જાણીતા રામકથાકાર પૂજ્ય મોરારીબાપુના હસ્તે આ સન્માન તેઓને મળવાનું છે.ત્યારે ટંકારાના ધ્રુવનગર ગામના રાજેશભાઈ વ્યાસે આ બહુમાન મેળવીને સમગ્ર વ્યાસ જ્ઞાતિનું જ્ઞાન નામ રોશન કરેલ છે.

મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમવાર નટરાજ એવોર્ડ મેળવી મોરબી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનું ગૌરવ વધારતા રાજેશભાઇ વ્યાસ કે જેઓનું મુળ ગામ ધ્રુવનગર છે અને હાલ તેઓ મોરબીના રહીશ છે.રાજેશભાઇ કુકરવાડીયાને હનુમાન જયંતિના દિવસે ચિત્રકૂટ ધામ તલગાજરડા મુકામે પૂજ્ય મોરારિબાપુના સાનિધ્યમાં નટરાજ એવોર્ડ ભારત દેશના મહાનુભાવોની ઉપસ્થિતીમા અર્પણ કરવામા આવશે.જે ગૌરવપૂર્ણ એવોર્ડ માટે સમગ્ર જ્ઞાતિ બંધુઓ હર્ષની લાગણી અનુભવે છે.મોરબી મચ્છુકાંઠા લોક ભવાઇ કલાના ઇતિહાસ માં સૌ પ્રથમ આ એવોર્ડ રાજેશભાઇને મળતા પરિવારજનો, ગ્રામજનો, જ્ઞાતિ બંધુઓ, અને ભવાઇ ચાહકોમા હર્ષની લાગણી હોય ચોમેરથી અભિનંદન વર્ષા વરસી રહી છે.






Latest News