મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પૂજ્ય રત્નેશ્વરીબેનની કથામાં જલારામ મંદિરના અગ્રણીઓનું અવિરત સેવા બદલ કરાયું સન્માન


SHARE













મોરબીમાં પૂજ્ય રત્નેશ્વરીબેનની કથામાં જલારામ મંદિરના અગ્રણીઓનું અવિરત સેવા બદલ કરાયું સન્માન

મોરબીમાં શ્રી રામજી મંદિરના લાભાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓનું અવિરત સેવા બદલ સન્માન કરવામાં આવ્યુ હતુ.ગોકુળના બાલા હનુમાન વેલનાથ ધુન મંડળ દ્વારા શ્રી રામજી મંદિરનાં લાભાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન પ.પૂ.રતનેશ્વરીદેવીજી (રામધન આશ્રમ-મોરબી) ના વ્યાસાસને કરવામાં આવ્યુ છે.ત્યારે સપ્તાહમાં મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓની અવિરત માનવસેવા બદલ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, અનીલભાઈ સોમૈયા સહીતના અગ્રણીઓનું શાલ તેમજ સન્માનપત્ર અર્પણ કરીને સપ્તાહના આયોજક સુરેશભાઈ શિહોરીયા, હરીભાઈ રાતડીયા સહીતનાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.તે ઉપરાંત મોરબીના શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન પ.પૂ.રતનેશ્વરી દેવીજી (રામધન આશ્રમ-મોરબી) ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.(તસ્વીર/અહેવાલ : જીગ્નેશ ભટ્ટ દ્વારા)




Latest News