મોરબીમાં પૂજ્ય રત્નેશ્વરીબેનની કથામાં જલારામ મંદિરના અગ્રણીઓનું અવિરત સેવા બદલ કરાયું સન્માન
SHARE






મોરબીમાં પૂજ્ય રત્નેશ્વરીબેનની કથામાં જલારામ મંદિરના અગ્રણીઓનું અવિરત સેવા બદલ કરાયું સન્માન
મોરબીમાં શ્રી રામજી મંદિરના લાભાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓનું અવિરત સેવા બદલ સન્માન કરવામાં આવ્યુ હતુ.ગોકુળના બાલા હનુમાન વેલનાથ ધુન મંડળ દ્વારા શ્રી રામજી મંદિરનાં લાભાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન પ.પૂ.રતનેશ્વરીદેવીજી (રામધન આશ્રમ-મોરબી) ના વ્યાસાસને કરવામાં આવ્યુ છે.ત્યારે સપ્તાહમાં મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓની અવિરત માનવસેવા બદલ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, અનીલભાઈ સોમૈયા સહીતના અગ્રણીઓનું શાલ તેમજ સન્માનપત્ર અર્પણ કરીને સપ્તાહના આયોજક સુરેશભાઈ શિહોરીયા, હરીભાઈ રાતડીયા સહીતનાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.તે ઉપરાંત મોરબીના શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન પ.પૂ.રતનેશ્વરી દેવીજી (રામધન આશ્રમ-મોરબી) ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.(તસ્વીર/અહેવાલ : જીગ્નેશ ભટ્ટ દ્વારા)


