મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં હીરાપર ગામ પાસે કાર પલટી જતા બે વ્યક્તિના મોત: પાંચને ઇજા


SHARE









ટંકારા તાલુકાનાં હીરાપર ગામ પાસે કાર પલટી જતા બે વ્યક્તિના મોત: પાંચને ઇજા

ટંકારા તાલુકાના હિરાપર ગામના પાટીયા પાસેથી અલ્ટો કાર પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર ગાડી પલટી મારી ગઈ હતી જેથી કરીને ગાડીમાં બેઠેલા લોકોમાંથી બે વ્યક્તિના મોત નીપજયાં છે અને પાંચ વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા અને આ લોકો દ્વારકા દર્શન કરી પરત મોરબી આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હોવાની માહિતી સામે આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીનો બારોટ પરિવાર દ્વારકા દર્શન કરવા માટે ગયો હતો અને ત્યાંથી તે પરિવાર પરત મોરબી આઈ રહ્યો હતો ત્યારે ટંકારાના લતિપર રોડ ઉપર હીરાપર ગામના પાટિયા પાસે મંગળવારે સવારે અકસ્માત થયો હતો જેમાં દ્વારકા દર્શન કરી પરત આવી રહેલા મોરબીના મોરબીના બારોટ પરિવારના બે વ્યક્તિના મોત નિપજ્યાં છે જેની મળતી માહિતી મુજબ અલ્ટો ગાડી નંબર જીજે ૩૬ એફ ૦૭૨૦ લઈને દ્વારકા દર્શન કરવા ગયેલ પરિવાર પાછો આવી રહ્યો હતો ત્યારે ગાડીના ચાલક શક્તિ રાજેશભાઇ બારોટ (૩૯), તેમના પત્ની જલ્પાબેન (૩૦), દીકરી આસ્થા (૯), તુલસી (૫) અને જીનલ (૧) ને ઈજા થતા ટંકારાના સરકારી દવાખાને લઈને આવ્યા હતા અને આ બનાવમાં નિર્મળાબેન રાજેશભાઇ સોનરાજ (૬૫) અને ગૌરીબેન રામકુમાર રેણુકા (૭૦)ને ગંભીર ઇજા થતાં તે બંનેનું ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને આ બનાવની હોસ્પિટલેથી ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News