મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં હીરાપર ગામ પાસે કાર પલટી જતા બે વ્યક્તિના મોત: પાંચને ઇજા


SHARE













ટંકારા તાલુકાનાં હીરાપર ગામ પાસે કાર પલટી જતા બે વ્યક્તિના મોત: પાંચને ઇજા

ટંકારા તાલુકાના હિરાપર ગામના પાટીયા પાસેથી અલ્ટો કાર પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર ગાડી પલટી મારી ગઈ હતી જેથી કરીને ગાડીમાં બેઠેલા લોકોમાંથી બે વ્યક્તિના મોત નીપજયાં છે અને પાંચ વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા અને આ લોકો દ્વારકા દર્શન કરી પરત મોરબી આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હોવાની માહિતી સામે આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીનો બારોટ પરિવાર દ્વારકા દર્શન કરવા માટે ગયો હતો અને ત્યાંથી તે પરિવાર પરત મોરબી આઈ રહ્યો હતો ત્યારે ટંકારાના લતિપર રોડ ઉપર હીરાપર ગામના પાટિયા પાસે મંગળવારે સવારે અકસ્માત થયો હતો જેમાં દ્વારકા દર્શન કરી પરત આવી રહેલા મોરબીના મોરબીના બારોટ પરિવારના બે વ્યક્તિના મોત નિપજ્યાં છે જેની મળતી માહિતી મુજબ અલ્ટો ગાડી નંબર જીજે ૩૬ એફ ૦૭૨૦ લઈને દ્વારકા દર્શન કરવા ગયેલ પરિવાર પાછો આવી રહ્યો હતો ત્યારે ગાડીના ચાલક શક્તિ રાજેશભાઇ બારોટ (૩૯), તેમના પત્ની જલ્પાબેન (૩૦), દીકરી આસ્થા (૯), તુલસી (૫) અને જીનલ (૧) ને ઈજા થતા ટંકારાના સરકારી દવાખાને લઈને આવ્યા હતા અને આ બનાવમાં નિર્મળાબેન રાજેશભાઇ સોનરાજ (૬૫) અને ગૌરીબેન રામકુમાર રેણુકા (૭૦)ને ગંભીર ઇજા થતાં તે બંનેનું ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને આ બનાવની હોસ્પિટલેથી ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે 




Latest News