મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માત્ર ક્ષત્રિયો નહીં, અઢારેય વર્ણના મતદારો કરશે ભાજપ વિરુદ્ધ મતદાન: રમજુભા જાડેજા


SHARE











માત્ર ક્ષત્રિયો નહીં, અઢારેય વર્ણના મતદારો કરશે ભાજપ વિરુદ્ધ મતદાન: રમજુભા જાડેજા

રાજકોટ લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાએ ક્ષત્રિયા સમાજની બહેન દીકરી વિષે ટિપ્પણી કરી હતી જેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારો ભાર રોષની લાગણી છે અને આંદોલનના પાર્ટ૨ માં ધર્મરથ કાઢવામાં આવ્યા હતા અને મોરબી જીલ્લામાં જે ધર્મરથ કાઢવામાં આવ્યો હતો તેનું આજે શક્તિ માતાજીનાં મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું અને લોકોશાહી ઢબે અઢારેય વર્ણના મતદારો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવો મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ તેમજ રાજપૂત સમાજ સંકલન સમિતિના સંયોજકવિશ્વાસ વ્યક્ત કરેલ છે

લોકસભાની ચૂંટણી માટેનું આગામી તા ૭ રોજ મતદાન થવાનું છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપની સામે આંદોલનના પાર્ટ૨ શરૂ કરવામાં આવ્યું હતું તે અંતર્ગત ગુજરાતભરમાં ભાજપના વિરુદ્ધમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને જાગૃત કરવા માટે ક્ષત્રિય સમાજ અને રાજપૂત કરણી સેના દ્વારા ધર્મરથ કાઢવામાં આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી નજીકના શનાળા ગામે આવેલ શક્તિ માતાજીનાં મંદિરેથી મોરબી જિલ્લાના માળીયા, મોરબી અને ટંકારા તાલુકા માટે ભાજપ વિરુદ્ધ મતદાનની અપીલ સાથે ધર્મરથ કાઢવામાં આવ્યો હતો જે રથ આજે મોરબીમાં આવ્યો હતો અને મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી લઈને શનાળા શક્તિ માતાજીનાં મંદિર સુધી મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજારાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહામંત્રી કે.ડીજાડેજા, રાજપૂત સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુભા જાડેજા અને મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલાની આગેવાનીમાં રેલી યોજાઇ હતી અને શક્તિ માતાજીનાં મંદિરે ધર્મરથનું સમાપન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોરબીમાં માર્ગો જય ભવાનીભાજપ જવાની સહિતના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠયા હતા અને ક્ષત્રિય અસ્મિતા અને સ્વાભિમાનની લડતમાં અઢારેય વર્ણના લોકો ક્ષત્રિય સમાજની સાથે છે અને આગામી તા.૭ ના રોજ ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ વધુમાં વધુ મતદાન કરવામાં આવશે તેવો આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કરેલ છે






Latest News