મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો

મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને શહેરમાં માસ, મટન, ચિકન અને મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જો કે, મહાનગરપાલિકાના જાહેરનામાને નજર અંદાજ કરીને બે વેપારીએ દુકાન ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ ચાલુ રાખ્યું હતું જેથી તેની સામે પગલાં લેવાની વિહિપ અને બજરંગદળના આગેવાને માંગ કરી હતી તેવામાં મનપાના અધિકારી અને કર્મચારી દ્વારા એ ડિવિઝનમાં જુદીજુદી બે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જાહેરનામા ભાંગના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં જાહેરનામું બહાર પાડીને મહાશિવરાત્રીના દિવસે તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા અને માંસ, મટન, ચીકન તથા મચ્છીના વેચાણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ હતો જો કે, જાહેરનામાની ઐસી તૈસી કરીને શિવરાત્રિના દિવસે મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલ મચ્છી માર્કેટ અને શક્તિ ચોક પાસે આવેલ ખાટકીવાસમાં નોનવેજનું વેચાણ દુકાનોમાં કરવામાં આવ્યું હતું જેથી કરીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને બંને વેપારી સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી તેવામાં હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદીજુદી બે ફરિયાદ નોંધાયેલ છે જેમાં એક ફરિયાદ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધ્યક્ષ અનુરાગ સંતોકીએ ન્યુ અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલ યાદગાર કેટરર્સ સામે નોંધાવેલ છે જયારે બીજી ફરિયાદ ક્લાર્ક દિલીપસિંહ રાઠોડે શક્તિ ચોક ખાટકીવાસ પાસે આવેલ સરકાર બાવા અહમદશાહ નામની દુકાનના માલિક સામે નોંધાવેલ છે જેથી કરીને પોલીસે બંને વેપારીની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News