મોરબી : અકસ્માત કરનારને સમજાવવા ગયેલ યુવાન ઉપર ધોકા વડે હુમલો કરી કારમાં તોડફોફ કરનાર ચારની ધરપકડ
મોરબીના ભાણદેવજી મહારાજના આશ્રમ જોધપર નદી ખાતે વૃક્ષ પરિચય સંદર્ભે શિબિર યોજાઈ
SHARE







મોરબીના ભાણદેવજી મહારાજના આશ્રમ જોધપર નદી ખાતે વૃક્ષ પરિચય સંદર્ભે શિબિર યોજાઈ
પ્રકૃતિપ્રેમીઓ માટે વનસ્પતિ પરિચય તથા તેની ઉપયોગિતાની જાણકારી માટેની એક શિબિરનું આયોજન મોરબીના ભાણદેવ આશ્રમ (જોધપર નદી) ખાતે કરવામાં આવ્યુ હતુ.
આ શિબિરમાં વૈદરાજ કીરીટસિંહ ઝાલાએ વનસ્પતી પરિચય તથા ઔષધીય ઉપયોગિતા વિષે જાણકારી આપેલ.આ શિબિરમાં મોરબીનાં નામાંકીત ૫૦ જેટલા પ્રકૃતિપ્રેમીઓ હાજર રહેલા.જેમા ડૉ.પનારા, મણીભાઈ ગડારા, દેવકરણભાઇ આદ્રોજા, મધુસુદન પાઠક, વૈદ કોરડિયા, ધનશ્યામભાઇ ડાંગર, જીવરાજ બાપા વિગેરે ઉપસ્થિત હતા.ભાણદેવજીએ શરૂઆતમાં શિબિરાર્થીઓને વનસ્પતિના મહત્વ વિષે જાણકારી આપી હતી.શિબિરનું આયોજન પ્રાણજીવન કાલરિયા તથા મધૂરમ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યુ હતુ.ભાણદેવ આશ્રમ ઉપર અઘેડો, અરીઠા, અંજીર, અપરાજિતા, અરડુસી, આમલી, આકડો, આવળ, આસોપાલવ, આમળા, આંબો, ઊઁધાફૂલી, ઊઁદરકાની, કરમદા, કરંજ, કરેણ, કેરડા, કાસિદ, કાંચનાર, કાંગસા, કુંવારપાઠું, ખારેક, ખેર, ખાખરો, ગળો, ગળજીભી, ગરમાળો, ગાજરઘાસ, ગુગળ, ગુલમહોર, ગંગેટી, ગંધારી, ગોરસ આમલી, ચણોઠી, ચમારદૂધેલી, ચંપો, ચમેલી, ચીલ, તુલસી, પારિજાત, પીપળ, પીંકેશિયા, પારસપીપળો, ફાલસા, બલા, બહેડા, બીલી, ભદ્રાક્ષ, માકડમારી, રાયણ, લીમડો, વડ, વાનરપૂંછ,વાંસ, વીકળો, શતાવરી, શેતૂર, શરપંખો, સરગવો, સવન, સહદેવી, સીસમ, સોનમહોર વિગેરે અનેક વનસ્પતિઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો.
