વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના વીરપર ગામે પ્લોટમાં બાંધકામ બાબતે પિતા-પુત્ર ઉપર ચાર શખ્સોનો ધોકા વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE











વાંકાનેરના વીરપર ગામે પ્લોટમાં બાંધકામ બાબતે પિતા-પુત્ર ઉપર ચાર શખ્સોનો ધોકા વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતા આધેડના કબજા ભોગવટા વાળા પ્લોટ ઉપર બાંધકામ કરનારા શખ્સને બાંધકામ કરવાની ના પાડી હતી જે બાબતે આધેડ સાથે બોલાચાલી કરી હતી અને ત્યાર બાદ તેનું મનદુઃખ રાખીને આધેડ તથા તેના દીકરા સહિતનાઓને ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ પ્લોટ બાબતે વાતચીત કરશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી જેથી કરીને આધેડ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતા દેવશીભાઈ શામજીભાઈ કુકવાવા જાતે કોળી (૫૫) નામના આધેડે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બેચરભાઈ અજુભાઈ દેકાવાડીયા, ઘનશ્યામભાઈ અજુભાઈ દેકાવાડીયા, મહિપતભાઈ ચતુરભાઈ દેકાવાડીયા અને રણજીતભાઈ ચતુરભાઈ દેકાવડીયા રહે. બધા વીરપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના કબજા ભોગવટા વાળા પ્લોટમાં આરોપી બેચરભાઈએ બાંધકામ કરતા ફરિયાદીએ તેને બાંધકામ કરવાની ના પાડી હતી જે બાબતે બોલાચાલી થઈ હતી તે બાબતનું મન દુઃખ રાખીને આરોપીઓ ભેગા થઈને ફરિયાદીના ઘરે ઝઘડો કરવા માટે આવ્યા હતા અને ત્યારે ફરિયાદી તેમજ તેના દીકરા રવિ દેવશીભાઈને માથા, જમણા કાન ઉપર ધોકા વડે માર મારીને ઇજા કરી હતી તેમજ ફરિયાદી અને સાહેદને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હતી અને આરોપી બેચરભાઈ તથા ઘનશ્યામભાઈએ ફરિયાદીને ધોકા વડે માર મારીને ઇજા કરી હતી તેમજ ડાબા હાથની કોણીમાં અને ડાબા ખભામાં માર માર્યો હતો આ ઉપરાંત નીતાબેનને પણ ડાબા હાથની કોણીમાં લાકડાનો ધોકો મારીને તેને ઈજા કરી હતી અને હવે પછી પ્લોટ બાબતે વાતચીત કરશો તો જાનથી મારી રાખશું તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ દેવશીભાઈએ સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે

માર માર્યો

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા મનસુખભાઈ કરસનભાઈ સોલંકી (૨૬) નામના યુવાનને તેના ઘરે મારામારીમાં ઘરના સભ્યો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ સુરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News