મોરબી સહિત ગુજરાતના ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધી જવાની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને ખાતરી મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ‘આઇ-ખેડૂત’ પોર્ટલ પર ૧૪ જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીના જેતપર ગામે ખેડૂત અને કંપની વચ્ચે પોલના વળતરનો વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ: ટ્રેકટર રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના રાજપર (કું) ગામે વાડીના કૂવામાં પડી જવાથી માનસિક બીમાર યુવાનનું મોત મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયા નજીક રિક્ષામાંથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધાનું સારવારમાં મોત


SHARE











મોરબીના ખેવારીયા નજીક રિક્ષામાંથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધાનું સારવારમાં મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામ અને બરવાળા રેલ્વે સ્ટેશન વચ્ચેથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષામાં બેઠેલ વૃદ્ધા રિક્ષામાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેમને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું છે જેથી હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના નીરૂબેનનગરમાં રહેતા જાનમહંમદ સલેમાનભાઈ કમોરા જાતે વાઘેર (૪૧)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીએનજી નંબર જીજે ૩૬ ડબલ્યુ ૪૫૧૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીના માતા આઈસાબેન સલેમાનભાઈ કમોરા (૬૦) રહે. નીરૂબેનનગર તાલુકો માળીયા મીયાણા વાળા આરોપીની રિક્ષામાં બેસીને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામ થી બરવાળા રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે રિક્ષામાંથી ફરિયાદીના માતા નીચે પડતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને ઇજા પામેલ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને ભોગ બનેલ વૃદ્ધાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ.એન. સગારકા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ
મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા વિક્રમસિંહ મહોબતસિંહ ઝાલા (૫૫) નામના આધેડ બાઈક લઈને ગામમાં આવેલ તબેલા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ત્યાં બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતના બનાવમાં તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી કરીને તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને  જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે






Latest News