મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના નવા રાજાવડલામાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર માર્યો: ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરના નવા રાજાવડલામાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર માર્યો: ગુનો નોંધાયો

વાંકાનેર નજીક આવેલ નવા રાજાવડલા ગામે રહેતા યુવાન સાથે અગાઉ થયેલ બોલાચાલીનું ઘરમેળે સમાધાન થઈ ગયું હતું તેમ છતાં સામેવાળાએ તેને ગાળો આપી હતી અને ગાળો બોલવાની ના પાડતા તે શખ્સે હાથમાં પહેરેલ કડુ માથામાં માર્યો હતો તેમજ લાકડાના ધોકા વડે તેને માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે રહેતા અને શાક બકાલું વેચવાનું ધંધો કરતા અશ્વિનભાઈ હકાભાઇ સોલંકી જાતે કોળી (૩૬) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે દિનેશભાઈ કાળુભાઈ દેત્રોજા રહે. નવા રાજાવડલા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, બે મહિના પહેલા ગામમાં આવેલ હનુમાનજીના મંદિર પાસે ઊભા રહેવા બાબતે આરોપીએ તેની સાથે બોલાચાલી કરેલ હતી અને તે બાબતે ઘર મેળે સમાધાન થઈ ગયું હતું અને આ બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદી હનુમાનજીના મંદિર પાસે ચોકમાં હતો ત્યારે ત્યાં તેને ગાળો આપી હતી જેથી કરીને ફરિયાદી તેને ગાળો આપવાની ના પાડતા આરોપીએ તેના હાથમાં પહેરેલ કડુ ફરિયાદી યુવાનને માથાના ભાગે માર્યું હતું અને ત્યાં પડેલ લાકડાના ધોકા વડે ફરિયાદીને માથામાં માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારા મારીમાં ઇજા
મોરબીમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દયાબેન ધીરુભાઈ બાવાજી (૪૦) રહે. ઇન્દીરાનગર અને જયેશ બાબુભાઈ ખરા (૨૮) રહે. ઇન્દિરાનગર વિસ્તાર વાળાઓને ઇજાઓ થઇ હોવાથી બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી






Latest News