મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર લોખંડની ખીલી વાળા ધોકાથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અજય લોરિયાની જામીન અરજી નામંજૂર મોરબીના વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડવા કૌભાંડ આરોપી જય દેત્રોજાની ધરપકડ, બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમત: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના સરતાનપર રોડ ઉપર ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબીના મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ મોરબી મહાપાલિકાની ચુંટણીમાં 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ: 5 વોર્ડમાં 2-2 બેલેટ યુનિટ મુકાશે, મતદાનોએ સાવધાન રહેવું જરૂરી મોરબી તાલુકા પંચાયતની એક-વાંકાનેર પાલિકાની એક બેઠક ઉપર ભાજપ અને વાંકાનેર પાલિકાની 4 બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારો બિનહરીફ મોરબીના શનાળા રોડે લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરની ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 5 પકડાયા: આઈડી આપનારની શોધખોળ
Breaking news
Morbi Today

મચ્છુ-૨ ના પાણીથી ૧૦ ચેકડેમ, મચ્છુ-૩ ડેમ અને ત્રણ ગામના તળાવ ભરાશે: કાર્યપાલક ઈજનેર


SHARE













મચ્છુ-૨ ના પાણીથી ૧૦ ચેકડેમ, મચ્છુ-૩ ડેમ અને ત્રણ ગામના તળાવ ભરાશે: કાર્યપાલક ઈજનેર

મોરબી નજીકના મચ્છુ-૨ ડેમમાંથી હાલમાં મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે લોકોને પીવામાં ઉપયોગમાં લઈ શકાય તેવું પાણી દરિયામાં વહી જતું હોય તે બાબતે મોરબી સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર પ્રેક્ષાબેન ગોસ્વામી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે હાલમાં મચ્છુ-૨ ડેમમાંથી જે પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેના થકી મચ્છુ-૨ થી મચ્છુ-૩ વચ્ચેના અંતરમાં આવેલા ચાર ચેકડેમ તેમજ મચ્છુ-૩ ડેમથી લઈને દરિયા સુધીના વિસ્તારમાં આવેલા છ ચેકડેમ આમ કુલ મળીને ૧૦ ચેકડેમો આ પાણીથી ભરાઈ જશે તે ઉપરાંત મચ્છુ-૩ ડેમને પણ આખો ભરવામાં આવશે તથા માળીયા મીયાણા તાલુકાના સરવડ, નવાગામ અને ભેલા ગામના તળાવોને મચ્છુ-૨ ડેમમાંથી છોડવામાં આવેલા પાણી મારફતે ભરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જોકે, મચ્છુ-૨ ડેમમાંથી જે કેનાલ નીકળે છે તે કેનાલમાં રીપેરીંગ કામ ચાલી રહ્યું હોવાથી તેમાં પાણી છોડી શકાય તેમ નથી જેથી કરીને હાલમાં મચ્છુ-૩ ડેમની કેનાલ મારફતે ત્રણ ગામના તળાવો રવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને હાલમાં જે મચ્છુ-૨  ડેમને ખાલી કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે તે આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે અને ધીમે ધીમે ડેમમાંથી પાણીના જથ્થાનો પ્રવાહ વધારવામાં આવશે અને કુલ મળીને ૭૩૫ એમસીએફટી જેટલું પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવશે જોકે લોકોને પાણીની કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટેની પૂરેપૂરી તકેદારી પણ રાખવામાં આવી છે તેવું અધિકારીએ જણાવ્યું છે






Latest News