મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મચ્છુ-૨ ના પાણીથી ૧૦ ચેકડેમ, મચ્છુ-૩ ડેમ અને ત્રણ ગામના તળાવ ભરાશે: કાર્યપાલક ઈજનેર


SHARE













મચ્છુ-૨ ના પાણીથી ૧૦ ચેકડેમ, મચ્છુ-૩ ડેમ અને ત્રણ ગામના તળાવ ભરાશે: કાર્યપાલક ઈજનેર

મોરબી નજીકના મચ્છુ-૨ ડેમમાંથી હાલમાં મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે લોકોને પીવામાં ઉપયોગમાં લઈ શકાય તેવું પાણી દરિયામાં વહી જતું હોય તે બાબતે મોરબી સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર પ્રેક્ષાબેન ગોસ્વામી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે હાલમાં મચ્છુ-૨ ડેમમાંથી જે પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેના થકી મચ્છુ-૨ થી મચ્છુ-૩ વચ્ચેના અંતરમાં આવેલા ચાર ચેકડેમ તેમજ મચ્છુ-૩ ડેમથી લઈને દરિયા સુધીના વિસ્તારમાં આવેલા છ ચેકડેમ આમ કુલ મળીને ૧૦ ચેકડેમો આ પાણીથી ભરાઈ જશે તે ઉપરાંત મચ્છુ-૩ ડેમને પણ આખો ભરવામાં આવશે તથા માળીયા મીયાણા તાલુકાના સરવડ, નવાગામ અને ભેલા ગામના તળાવોને મચ્છુ-૨ ડેમમાંથી છોડવામાં આવેલા પાણી મારફતે ભરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જોકે, મચ્છુ-૨ ડેમમાંથી જે કેનાલ નીકળે છે તે કેનાલમાં રીપેરીંગ કામ ચાલી રહ્યું હોવાથી તેમાં પાણી છોડી શકાય તેમ નથી જેથી કરીને હાલમાં મચ્છુ-૩ ડેમની કેનાલ મારફતે ત્રણ ગામના તળાવો રવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને હાલમાં જે મચ્છુ-૨  ડેમને ખાલી કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે તે આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે અને ધીમે ધીમે ડેમમાંથી પાણીના જથ્થાનો પ્રવાહ વધારવામાં આવશે અને કુલ મળીને ૭૩૫ એમસીએફટી જેટલું પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવશે જોકે લોકોને પાણીની કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટેની પૂરેપૂરી તકેદારી પણ રાખવામાં આવી છે તેવું અધિકારીએ જણાવ્યું છે








Latest News