મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકાનાં ૧૦ ગામના તળાવ ભરવા માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની રજૂઆત


SHARE







મોરબી-માળીયા તાલુકાનાં ૧૦ ગામના તળાવ ભરવા માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની રજૂઆત

ટંકારા પડધરી બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મોરબી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જુદા જુદા ૧૦ જેટલા ગામના તળાવો ભરવા માટે થઈને ભલામણ કરી છે અને ધારાસભ્ય દ્વારા જે પત્ર લખવામાં આવ્યું છે તેમાં તેણે જણાવ્યું છે કે મચ્છુ-૨ ના દરવાજા બદલવા માટેની જે કામગીરી કરવાની છે તેના માટે મચ્છુ-૨ ડેમમાંથી પાણી ખાલી કરવાનું છે અને આ પાણી જો મચ્છુ-૨ ડેમ પાસેથી નીકળતી કેનાલ મારફતે છોડવામાં આવશે તો બરવાળા, બગથળા, લૂંટાવદર, પીપળીયા, નાનીવાવડી, બીલીયા, મોડપર, નારણકા, ખેવારિયા, દેરાળા, ફગસિયા, સહિતના ગામના તળાવો સુધી પાણી પહોંચાડી શકાય તેમ છે અને ગામના તળાવમાં પાણી ભરાઈ જાય તો ઉનાળામાં અબોલ જીવ માટે પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જાય તેની સાથે આ ગામના લોકોને પણ પાણી ઉપયોગમાં આવી શકે તેમ છે. અત્રે ઉલ્લેખીએ છે કે મચ્છુ-૨ માંથી નીકળતી કેનાલમાં રીપેરીંગ કામ ચાલુ છે ત્યાં કાચા પાળા કરીને પાણી છોડવામાં આવે તો ઉપરોક્ત ગામના તળાવો સુધી પાણી પહોંચાડી શકાય તેમ છે તેવું ધારાસભ્ય કહી રહ્યા છે પરંતુ અધિકારીના કહેવા મુજબ જો કેનાલમાં પાણી છોડવામાં આવે તો તે કાચા પાળા રહે નહીં અને ખેડૂતોના ખેતરમાં નુકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તેમ છે જેથી કરીને મચ્છુ ડેમમાંથી નીકળતી કેનાલમાં હાલમાં પાણી છોડી શકાય તેમ નથી






Latest News