મોરબીમાં ધંધામાં ગયેલ ખોટને સરભર કરવા કેમિકલ ચોરીનો શોર્ટકટ અપનાવ્યો !: ચારેય આરોપી જેલ હવાલે મોરબીના લોકોને સારી પ્રાથમિક સુવિધા મળતી ન હોવાથી લોકોને વેરો માફ કરવાની કલેક્ટરને રજૂઆત વાંકાનેરના પીપળીયારાજ પીએસસીના જુદાજુદા ગામમાં સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં મોરબીના લાયસન્સનગરના મેઇન રોડ પર ખુલ્લી ગટરમાં બે સીએનજી રિક્ષા ખાબકી ! મોરબીમાં લાયન્સ કલબ દ્વારા ત્રીજું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી ચેકઅપ કેન્દ્ર લોકાર્પણ કરાયું હળવદમાં આવેલ માર્કેટ યાર્ડ ખાતે લોન મેળો યોજાયો મોરબીના સનાળા ગામ પાસેથી સેમી ઓટોમેટીક પીસ્તોલ સાથે એકની ધરપકડ: હથિયાર-કાર સહિત 5.10 લાખનો મુદ્દામાલ કબજે મોરબી લાતી પ્લોટના રોડ રસ્તા, ગટર, વરસાદી પાણીના પ્રશ્નો ઉકેલવા વાજતે ગાજતે પાલિકા સુધી આમ આદમી પાર્ટીની રેલી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબિ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગૃપ/બલ્ક એસ.એમ.એસ./Social Media Platforms પર નિયંત્રણ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ


SHARE







મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગૃપ/બલ્ક એસ.એમ.એસ./Social Media Platforms પર નિયંત્રણ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જૂદા જૂદા સાત તબક્કાઓમાં યોજવાનું તા. ૧૬-૦૩-૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ છે જે પૈકી ત્રીજા તબક્કામાં ગુજરાત રાજ્યમાં તા. ૦૭-૦૫-૨૦૨૪ ણા રોજ મતદાન પૂર્ણ થયેલ છે તેમજ મતગણતરી તા. ૦૪-૦૬-૨૦૨૪ ના યોજાનાર છે. બાકી રહેલ તબક્કાઓનું મતદાન ક્રમશઃ પૂર્ણ થવામાં છે. જે અન્વયે હાલની સ્થિતીએ આદર્શ આચાર આચારસંહિતાની અમલવારી ચાલુમાં છે. આ દરમિયાન વાંધાજનક એસ.એમ.એસ.(ટુંકા સંદેશ સેવા)/તમામ Social Media Platforms/અન્ય ઇલેક્ટ્રોનીક માધ્યમનો દુરૂપયોગથી અનિચ્છનિય બનાવ ન બને મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તેવા હેતુથી જિલ્લા મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી મોબાઈલ સર્વિસ હેઠળ વિવિધ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, વીઆઇ, બી.એસ.એન.એલ.(સેલ વન), રીલાયન્સ જીયો, એરટેલ તેમજ Wi-Fi સર્વીસ પ્રોવાઇડર વગેરે જેવી કંપનીઓએ સમગ્ર મોરબી જિલ્લા વિસ્તારમાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા, સક્ષમ સતાધીશ/સમિતિ દ્વારા પ્રસારણ માટે પ્રમાણિત થયા ન થયા હોય તેવા અને મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને દુષિત કરે તેવા ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ./Social Media Platforms/અન્ય ઇલેક્ટ્રોનીક માધ્યમો દ્વારા પ્રસારીત કરવા કે કરવા દેવા નહીં તથા રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ./Social Media Platforms/અન્ય ઇલેક્ટ્રોનીક માધ્યમો દ્વારા ૦૬-૦૬-૨૦૨૪  સુધી સંપૂર્ણપણે પ્રસારણને પ્રતિબંધીત કરવાનું રહેશે.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરવું ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ બીનજામીન લાયક ફોજદારી ગુનો છે.




Latest News