“સસ્તા દારૂ મહેંગા તેલ, હાય રે ભાજપ કેસા તેરા ખેલ”: મોરબીમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન મોરબીમાં પીએસઆઈ-કોન્સ્ટેબલની તૈયારી કરતી દીકરીઓને કોચિંગ ક્લાસનું આયોજન મોરબીમાં દલવાડી સર્કલ નજીક કેનાલની બાજુમાંથી 30 જેટલા ઝૂંપડાંના દબાણો સફાયો મોરબીના લીલાપર રોડ ઉપર બહુમાળીમાંથી પડતું મુકતા મહિલાનું મોત  મોરબીમાં રામાનંદી સાધુ સમાજની સામાન્ય સભા-ટ્રસ્ટની ચૂંટણી એપ્રિલ માહિનામાં યોજાશે યુધ્ધની ગંભીર અસર: વાંકાનેરના સરતાનપર ગામ પાસે સીરામીક કારખાનામાં મજૂરી કરતાં યુવાને રોજગારીના ટેન્શનમાં જીવન ટુકાવ્યું હળવદ: છોકરી સાથેના પ્રેમસબંધથી જાણ થઈ જતાં પિતાએ ઠપકો આપતા યુવાને કેનાલમાં ઝંપલાવ્યુ-મોત માળીયા (મી)ના હરીપરના રેલ્વે બ્રિજ ઉપર બંધ પડેલા ડમ્પરને પાછળથી રિવર્સમાં ધક્કો મારતા ડમ્પર વચ્ચે આવી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે નવરંગો માંડવો: નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન


SHARE













મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે નવરંગો માંડવો: નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન

મોરબીના નવલખી રોડ ઉર રેલવે સ્ટેશનની બાજુમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજીનું મંદીર આવેલ છે ત્યાર આગામી તા ૨૭ ને સોમવારના રોજ નવરંગો માંડવો રાખવામા આવેલ છે અને મોરબીમાં રહેતા આગેવાન રમેશભાઈ શામજીભાઈ વડસોલા અને તેના પરિવાર દ્વારા ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરાયું છે ત્યારે થાંભલી રોપણ, ભુવાના સામૈયા, મહાપ્રસાદ, ડાકલાની રમઝટ, થાંભલી વધામણા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અને ડાક ડમરૂનો કાર્યક્રમ રાખવામા આવેલ છે જેમાં રાવળદેવ દેવભાઈ મેવાડા અને રાવળદેવ જીજ્ઞેશભાઈ ચૌહાણ સહિતના ડાકલાની રમઝટ બોલાવશે

નવા ધમલપર ગામે નવચંડી યજ્ઞ-સમાધિ પૂજન

વાંકાનેરના નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરના ૧૯ માં પાટોત્સવ નિમિત્તે આગામી તા ૨૩ મે ના રોજ નવચંડી યજ્ઞ તથા સમાધિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવ નિમિત્તે ૨૨ મે ને બુધવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ગૌશાળાના લાભાર્થે માતાજીનું માંડલું  રાખેલ છે જેમાં ડાક કલાકાર સાગરભાઈ માલણીયાત હાજર રહેશે. અને તા ૨૩ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યાથી ધાર્મિક કાર્યક્રમ શરૂ થશે અને ૧૨:૩૦ કલાકે બીડું હોમવામાં આવશે. ત્યાર બાદ પ્રસાદ યોજાશે




Latest News