મોરબીનો મચ્છુ-૨ ડેમ ખાલી કર્યા બાદ હવે શહેરમાં સોમવારથી એકાંતરા પાણી કાપ
મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે નવરંગો માંડવો: નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન
SHARE
મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે નવરંગો માંડવો: નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન
મોરબીના નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશનની બાજુમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજીનું મંદીર આવેલ છે ત્યાર આગામી તા ૨૭ ને સોમવારના રોજ નવરંગો માંડવો રાખવામા આવેલ છે અને મોરબીમાં રહેતા આગેવાન રમેશભાઈ શામજીભાઈ વડસોલા અને તેના પરિવાર દ્વારા ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરાયું છે ત્યારે થાંભલી રોપણ, ભુવાના સામૈયા, મહાપ્રસાદ, ડાકલાની રમઝટ, થાંભલી વધામણા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અને ડાક ડમરૂનો કાર્યક્રમ રાખવામા આવેલ છે જેમાં રાવળદેવ દેવભાઈ મેવાડા અને રાવળદેવ જીજ્ઞેશભાઈ ચૌહાણ સહિતના ડાકલાની રમઝટ બોલાવશે
નવા ધમલપર ગામે નવચંડી યજ્ઞ-સમાધિ પૂજન
વાંકાનેરના નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરના ૧૯ માં પાટોત્સવ નિમિત્તે આગામી તા ૨૩ મે ના રોજ નવચંડી યજ્ઞ તથા સમાધિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવ નિમિત્તે ૨૨ મે ને બુધવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ગૌશાળાના લાભાર્થે માતાજીનું માંડલું રાખેલ છે જેમાં ડાક કલાકાર સાગરભાઈ માલણીયાત હાજર રહેશે. અને તા ૨૩ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યાથી ધાર્મિક કાર્યક્રમ શરૂ થશે અને ૧૨:૩૦ કલાકે બીડું હોમવામાં આવશે. ત્યાર બાદ પ્રસાદ યોજાશે