એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટંકારા, બગથળા અને લાલપર પીએચસીમાં વિશ્વ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરાઈ


SHARE

















મોરબી જિલ્લાના ટંકારા, બગથળા અને લાલપર પીએચસીમાં વિશ્વ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરાઈ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીનાં તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં વર્લ્ડ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યસરકાર ના આદેશ અનુસાર જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતા દવેની સૂચના તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી. બાવરવા અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર પટેલ હિતેષના માર્ગદર્શન હેઠળ વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં મિટિંગ યોજી લોકોને હાઇપર ટેન્શન અંગે આરોગ્ય શિક્ષણ આપી જાગૃત કરાયા હતા આ ઉજવણીમાં લોહીનું દબાણ શું છે ? તેના લક્ષણો વિશે અને કોને શક્યતાઓ વધારે છે ? અને લોહીના દબાણને થતું કેમ ન અટકાવી શકાય ? ૩૦ વર્ષથી ઉપરના લાભાર્થીને એક વાર NCD સ્ક્રીનીગ કરાવવા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું
બગથળા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના મેડિકલ ઓફિસર ડૉ. હિરેન પી. વાંસદડીયાના માર્ગદર્શન હેઠળ તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરના આરોગ્ય કર્મચારી કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશાબેન દ્વારા હાઇપરટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં લોહીનું દબાણ શુ છે? તેના લક્ષણો વિશે અને કોને શક્યતાઓ વધારે છે? અને લોહીના દબાણને થતુ કેમનું અટકાવી શકાય ? 30 વર્ષથી ઉપરના લાભાર્થીને એક વાર એન. સી.ડી સ્કીનીગ કરાવવા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.
લાલપર

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત લાલપરના મેડિકલ ઓફિસર ડો. દર્શન ખત્રી, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ, અમિતાબેન મૂછડીયાના માર્ગદર્શન હેઠળ દિલીપ દલસાણીયા તેમજ અન્ય સ્ટાફ દ્વારા આરોગ્ય કેન્દ્રના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા.




Latest News