હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને યુવાને ન  કરવાનું કરી નાખ્યું : મોત


SHARE













મોરબીમાં બીમારીથી કંટાળીને યુવાને ન  કરવાનું કરી નાખ્યું : મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતા યુવાનને હરસ મસા, લીવર, પિતાશય અને કિડનીની બીમારી હોવાના કારણે તે કંટાળી ગયો હતો અને તેણે પોતાના ઘરની અંદર જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતા મનીષભાઈ ઉર્ફે સાગરભાઇ ઘનશ્યામભાઈ મહેતા જાતે બ્રાહ્મણ (૪૨) એ પોતે પોતાના ઘરની અંદર લગાવેલ પંખામાં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરેલ હતી જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલો ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના માતા ભારતીબેન ઘનશ્યામભાઈ મહેતા રહે.એજી ચોક પાસે ગૌરવપાર્ક રૂરલ હાઉસિંગ સોસાયટી કાલાવાડ રોડ રાજકોટએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન ડ્રાઇવિંગનું કામકાજ કરતો હતો અને છેલ્લા ત્રણેક વર્ષથી તેને હરસ મસાની તકલીફ હતી તે ઉપરાંત લીવર, પિતાશય અને કિડનીમાં પાણી ભરાવાની પણ બીમારી હતી જેથી કરીને તે કંટાળી ગયો હતો અને બિમારીથી કંટાળીને તે યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવી માહિતી હાલમાં તેના પરિવારજન પાસેથી મળી હોય પોલીસે તેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

રિક્ષા પલટી

મોરબીના રંગપર ગામે રહેતા પારસુબેન અજયભાઈ દેવીપુજક (૩૦) નામના મહિલા રીક્ષામાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર રંગપર ગામ નજીક રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને અકસ્માતના બનાવમાં તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવેલ છે 






Latest News