મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મિં.) ના નાના દહીંસરા ગામનો બનાવ : બહેન વિશે એલફેલ વાતો થતી હોવાની વાતનું મનમાં લાગી આવતા યુવાને...


SHARE







માળીયા (મિં.) ના નાના દહીંસરા ગામનો બનાવ : બહેન વિશે એલફેલ વાતો થતી હોવાની વાતનું મનમાં લાગી આવતા યુવાને...

માળીયા મિંયાણા તાલુકાના નાના દહીંસરા ગામની સીમમાં આવેલા કારખાનાની સામેના ભાગમાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી જેથી કરીને તેનું મોત નિપજ્યુ હતું અને ત્યારબાદ તેના સંબંધી તેના મૃતદેહને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સામે આવ્યું હતું કે મૃતક યુવાનના બહેન કે જેઓ તેનાથી મોટા છે અને અપરિણિત છે તેઓ ઘરે કોઇને કંઇ કહ્યા વિના તેમના સંબંધીને ત્યાં ચાલ્યા ગયા હતા અને બે-ત્રણ દિવસમાં પરત આવી ગયા હતા.આ વાતને લઈને ગ્રામજનોમાં તરહ-તરહની એલફેલ વાતો થતી હોય તે બાબતનું મનોમન લાગી આવતા મૃતક યુવાને અંતિમ પગલું ભરી લીધું હતું.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા ચિરાગભાઈ રમેશભાઈ કાવર જાતે પટેલ (ઉમર ૨૧) એ પીપળીયા ચાર રસ્તાથી મોટા દહીંસરા જતા રોડ ઉપર આવેલ નાના દહીંસરા ગામની સીમમાં હિતકારી નામના કારખાનાની સામે ખરાબામાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નિપજ્યુ હતુ.ત્યારબાદ તે યુવાનના મૃતદેહને તેના સગા-સંબંધી પીએમ માટે માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળીયા મિંયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ગાંભવાને સોંપવામાં આવી હોય તેઓએ મૃતકના પરિવારજનોના લીધેલા નિવેદનનોમાં મૃતકની મોટી બહેન કોઈને કહ્યા વિના તેઓના સગાને ત્યાં ચાલ્યા ગયા હોય અને બાદમાં બે-ત્રણ દિવસમાં પરત આવી જવાથી આ વાતને લઈને લોકોમાં એલફેલ વાતો થતી હોય તે બાબતનું મનમાં લાગી આવવાથી ચિરાગે ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું ખુલ્યું હતું..!

બહેનને ત્યાં આવેલ યુવતી યુવક સાથે ભાગી ગઈ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના રાયસીંગપુર ગામે શક્તિ માતાના મંદિર પાસે રહેતા શારદાબેન માનસિંગભાઈ સોઢા રજપુત નામના ૫૨ વર્ષના આધેડ મહિલાએ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરીએ જણાવ્યું હતું કે, તેઓની નાની દીકરી શિવાની (ઉંમર વર્ષ ૨૪) તેમની મોટી દીકરી અનિતાબેનના સાસરે કે જેઓ મોરબીના વીસીપરામાં રહેતી હોય તેમને ત્યાં આવી હતી અને અહીં અનિતાબેનના ઘરેથી આઈસ્ક્રીમ લેવા માટે બહાર જાવ છું.તેમ કહીને ઘરમાંથી નીકળી હતી અને બાદમાં હળવદ તાલુકાના ચાડધ્રા ગામના કલ્પેશ જેસીંગભાઇ નામના યુવક સાથે ચાલી ગયેલ છે.આ બાબતની અરજી મળતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારોદીયાએ તપાસ ચલાવી હતી અને ચાડધ્રા ગામના કલ્પેશ જેસીંગભાઇને તથા તેની સાથે શિવાનીબેનને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં યુવતી શિવાનીના પરિવારજનોને પણ બોલાવવામાં આવ્યા હતા.જોકે યુવક-યુવતી બંને પુખ્ત વયના હોય અને યુવતી શિવાનીબેનએ કલ્પેશ સાથે જવાનું કહેતા હાલ તે મુજબના નિવેદનો નોંધીને પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી.






Latest News